SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૭ મું ૧૧૯ લેાકાલેાકના સર્વ ભાવના એમાં સમાવેશ આવી જાય છે. નિગ્રંથપ્રવચનના જે જે સૂક્ષ્મ મેધ છે, તે તત્ત્વની દૃષ્ટિએ નવ તત્ત્વમાં સમાઈ જાય છે; તેમજ સઘળા ધર્મમતાના સૂક્ષ્મ વિચાર એ નવ તત્ત્વવિજ્ઞાનના એક દેશમાં આવી જાય છે. આત્માની જે અનંત શક્તિએ ઢંકાઈ રહી છે તેને પ્રકાશિત કરવા અદ્ભુત ભગવાનને પવિત્ર ધ છે. એ અનંત શક્તિ ત્યારે પ્રફુલ્લિત થઈ શકે કે જ્યારે નવ તત્ત્વ વિજ્ઞાનમાં પારાવાર જ્ઞાની થાય. સૂક્ષ્મ દ્વાદશાંગી જ્ઞાન પણ એ નવ તત્ત્વ સ્વરૂપ જ્ઞાનને સહાયરૂપ છે. ભિન્ન ભિન્ન પ્રકારે એ નવ તત્ત્વ સ્વરૂપ જ્ઞાનના એધ કરે છે; એથી આ નિઃશંક માનવા યાગ્ય છે કે નવ તત્ત્વ જેણે અનંત ભાવ ભેદે જાણ્યા તે સર્વજ્ઞ અને સર્વદશી થયે. એ નવ તત્ત્વ ત્રિપદીને ભાવે લેવા યેાગ્ય છે. હેય, જ્ઞેય અને ઉપાદેય, એટલે ત્યાગ કરવા ચેાગ્ય, જાણવા યેાગ્ય અને ગ્રહણ કરવા યેાગ્ય, એમ ત્રણ ભેદ નવતત્ત્વ સ્વરૂપના વિચારમાં રહેલા છે. પ્રશ્ન :- જે ત્યાગવારૂપ છે તેને જાણીને કરવું શું ? જે ગામ ન જવું તેને માર્ગ શા માટે પૂછવે ? ઉત્તર :- એ તમારી શંકા સહેજમાં સમાધાન થઇ શકે તેવી છે. ત્યાગવારૂપ પણ જાણવા અવશ્ય છે. સર્વજ્ઞ પણ સર્વ પ્રકારના પ્રપંચને જાણી રહ્યા છે. ત્યાગવારૂપ વસ્તુને જાણવાનું મૂળતત્ત્વ આ છે કે જો તે જાણી ન હેાય તે અત્યાજ્ય ગણી કોઈ વખત સેવી જવાય. એક ગામથી બીજે પહોંચતાં સુધી વાટમાં જે જે ગામ આવવાનાં હોય તેના રસ્તે પણ પૂછવા પડે છે, નહીં તે જ્યાં જવાનું છે ત્યાં ન પહોંચી શકાય. એ ગામ જેમ પૂછ્યાં પણ ત્યાં વાસ કર્યાં નહીં તેમ પાપાર્દિક તત્ત્વ જાણવાં પણ ગ્રહણ કરવાં નહીં. જેમ વાટમાં આવતાં ગામના ત્યાગ કર્યાં તેમ તેને પણ ત્યાગ કરવા અવશ્યનેા છે. શિક્ષાપાઠ ૮૪. તાવધ—ભાગ ૩ નવ તત્ત્વનું કાળભેદે જે સત્પુરુષો ગુરુગમ્યતાથી શ્રવણ, મનન અને નિદિધ્યાસનપૂર્વક જ્ઞાન કરે છે, તે સત્પુરુષા મહાપુણ્યશાળી તેમ જ ધન્યવાદને પાત્ર છે. પ્રત્યેક સુજ્ઞ પુરુષાને મારી વિનયભાવભૂષિત એ જ આધ છે કે નવ તત્ત્વને સ્વબુદ્ધિ અનુસાર યથાર્થ જાણવાં, મહાવીર ભગવંતના શાસનમાં બહુ મતમતાંતર પડી ગયા છે, તેનું મુખ્ય આ એક કારણ પણ છે કે તત્ત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ ગયું. માત્ર ક્રિયાભાવ પર રાચતા રહ્યા; જેનું પરિણામ પૃષ્ટિગાચર છે. વર્તમાન શેષમાં આવેલી પૃથ્વીની વસતિ લગભગ દોઢ ખજની ગણાઈ છે; તેમાં સર્વ ગચ્છની મળીને જૈનપ્રજા માત્ર વીશ લાખ છે. એ પ્રજા તે શ્રમણાપાસક છે. એમાંથી હું ધારું છું કે નવ તત્ત્વને પઠનરૂપે બે હજાર પુરુષા પણ માંડ જાણતા હશે; મનન અને વિચારપૂર્વક તા આંગળીને ટેરવે ગણી શકીએ તેટલા પુરુષા પણ નહીં હશે. જ્યારે આવી પતિત સ્થિતિ તત્ત્વજ્ઞાન સંબંધી થઈ ગઈ છે ત્યારે જ મતમતાંતર વધી પડ્યા છે. એક લૌકિક કથન છે કે સે। શાણે એક મત' તેમ અનેક તત્ત્વવિચારક પુરુષાના મતમાં ભિન્નતા બહુધા આવતી નથી. એ નવતત્ત્વ વિચાર સંબંધી પ્રત્યેક મુનિને મારી વિજ્ઞપ્તિ છે કે વિવેક અને ગુરૂગમ્યતાથી એનું જ્ઞાન વિશેષ વૃદ્ધિમાન કરવું; એથી તેનાં પવિત્ર પંચમહાવ્રત વૃદ્ધ થશે; જિનેશ્વરનાં વચનામૃતના અનુપમ આનંદની પ્રસાદી મળશે; મુનિત્વઆચાર પાળવામાં સરળ થઈ પડશે; જ્ઞાન અને ક્રિયાવિશુદ્ધ રહેવાથી સમ્યક્ત્વને ઉત્ક્રય થશે; પરિણામે ભવાંત થઈ જશે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy