SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ કર્મફળની તીવ્રતા-મન્દતા કર્મફળની તીવ્રતા-મન્દતાનો આધાર તેના નિમિત્તભૂત કષાયોની તીવ્રતામન્દતા ઉપર છે. જીવ જેટલી અધિક તીવ્રતાવાળા કષાયથી યુક્ત હશે તેટલા જ પ્રબળ તેના પાપકર્મ યા અશુભકર્મ બનશે તેમ જ તેટલા જ નિર્બળ તેના પુણ્યકર્મ યા શુભકર્મ બનશે. જીવ જેટલો વધુ કષાયમુક્ત અને વિશુદ્ધ હશે તેના પુણ્યકર્મ તેટલા જ અધિક પ્રબળ અને પાપકર્મ તેટલા જ અધિક દુર્બળ થશે. કર્મોના પ્રદેશ જીવ પોતાની કાયિક આદિ ક્રિયાઓ દ્વારા જેટલા કર્મપ્રદેશો (= કર્મપરમાણુઓ)નું ગ્રહણ કરે છે તે કર્મપ્રદેશો વિવિધ પ્રકારનાં કર્મોમાં વિભક્ત થઈને આત્મા સાથે બદ્ધ થઈ જાય છે. આવું કર્મને સૌથી ઓછો હિસ્સો મળે છે. નામ કર્મને તેનાથી કંઈક વધુ હિસ્સો મળે છે. ગોત્ર કર્મનો હિસ્સો પણ નામ કર્મના હિસ્સા જેટલો જ હોય છે. એનાથી કંઈક અધિક હિસ્સો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અન્તરાય દરેકને મળે છે. આ ત્રણે હિસ્સા સમાન રહે છે. તેનાથી અધિક હિસ્સો મોહનીય કર્મના ભાગે આવે છે. સૌથી મોટો હિસ્સો વેદનીય કર્મને મળે છે. આ પ્રદેશોનું વળી ઉત્તરપ્રવૃતિઓમાં (ઉત્તરભેદોમાંપેટાભેદોમાં) વિભાજન થાય છે. પ્રત્યેક પ્રકારના બદ્ધ કર્મના પ્રદેશોની ન્યૂનતાઅધિકતાનો આ જ આધાર છે. કર્મની વિવિધ અવસ્થાઓ જૈન કર્મશાસ્ત્રમાં કર્મની વિવિધ અવસ્થાઓનું વર્ણન મળે છે. તે અવસ્થાઓ કર્મનાં બંધન, પરિવર્તન, સત્તા, ઉદય, ક્ષય વગેરે સંબંધી છે. તેમનું આપણે સ્થૂળ દૃષ્ટિએ અગિયાર ભેદોમાં વર્ગીકરણ કરી શકીએ છીએ. એમનાં નામ આ પ્રમાણે છે : (૧) બન્ધન, (૨) સત્તા, (૩) ઉદય, (૪) ઉદીરણા, (૫) ઉદ્વર્તન, (૬) અપવર્તના, (૭) સંક્રમણ, (૮) ઉપશમન, (૯) નિધત્તિ, (૧૦) નિકાચન અને (૧૧) અબાધી.' (૧) બન્ધન - આત્મા સાથે કર્મપરમાણુઓનું બંધાવું એટલે કે નીરક્ષીરવત્ એકરૂપ થઈ જવું એ બન્ધન કહેવાય છે. બન્ધન પછી જ બીજી અવસ્થાઓ શરૂ થાય છે. બન્ધનના ચાર પ્રકાર છે : પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ (રસબંધ) અને પ્રદેશબંધ. એમનું વર્ણન પહેલાં કરી ગયા છીએ. ૧. જુઓ આત્મમીમાંસા, પૃ. ૧૨૮-૧૩૧; Jaina Psychology પૃ. ૨૫-૨૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy