SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ આત્માના ચાર મૂળ ગુણોનો (જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય) ઘાત થાય છે. બાકીની ચાર અઘાતી પ્રકૃતિઓ છે કારણ કે તે પ્રકૃતિઓ આત્માના કોઈ ગુણનો ઘાત કરતી નથી. એટલું જ નહિ પણ આ અઘાતી પ્રકૃતિઓ આત્માને એવું રૂપ આપે છે જે રૂપ આત્માનું પોતાનું નથી પરંતુ પૌદ્ગલિક છે – ભૌતિક છે. જ્ઞાનાવરણ આત્માના જ્ઞાનગુણનો ઘાત કરે છે. દર્શનાવરણથી આત્માના દર્શનગુણનો ઘાત થાય છે. મોહનીય સુખનો, આત્મસુખનો, પરમસુખનો, શાશ્વત સુખનો ઘાત કરે છે. અન્યાયથી વીર્યનો અર્થાત્ શક્તિનો ઘાત થાય છે. વેદનીય અનુકૂળ અને પ્રતિકૂળ વેદનનું અર્થાત્ સુખ-દુઃખનું કારણ છે. આયુને કારણે આત્માને નારક વગેરે વિવિધ ભવોની પ્રાપ્તિ થાય છે. નામને કારણે જીવ વિવિધ ગતિ, જાતિ, શરીર વગેરે પામે છે. ગોત્ર જીવના ઊંચ-નીચપણાનું કારણ છે. જ્ઞાનાવરણીય કર્મની પાંચ ઉત્તરપ્રકૃતિઓ છે : (૧) મતિજ્ઞાનાવરણ, (૨) શ્રુતજ્ઞાનાવરણ, (૩) અવધિજ્ઞાનાવરણ, (૪) મન:પર્યય-મનઃપર્યવ યા મન:પર્યાયજ્ઞાનાવરણ અને (૫) કેવલજ્ઞાનાવરણ. મતિજ્ઞાનાવરણીય કર્મ મતિજ્ઞાનનું એટલે કે ઈન્દ્રિય અને મનથી ઉત્પન્ન થનારા જ્ઞાનનું આવરણ કરે છે. શ્રુતજ્ઞાનાવરણીય કર્મ શ્રુતજ્ઞાનનો, અર્થાત્ શાસ્ત્રો કે શબ્દોના વાચન તથા શ્રવણથી ઉત્પન્ન થનારા જ્ઞાનનો નિરોધ કરે છે. અવધિજ્ઞાનાવરણીય કર્મ અવધિજ્ઞાનનું, અર્થાત ઈન્દ્રિય અને મનની સહાય વિના ઉત્પન્ન થનારા તેમ જ રૂપી દ્રવ્યોને જ જાણનારા જ્ઞાનનું આવરણ કરે છે. મન:પર્યાયજ્ઞાનાવરણીય કર્મ મન:પર્યાયજ્ઞાનનું એટલે કે ઈન્દ્રિય અને મનની સહાય વિના ઉત્પન્ન થનારા તેમ જ મનવાળા (=સંજ્ઞી=સમનસ્ક) જીવોના મનોગત ભાવોને જાણનારા જ્ઞાનનું આવરણ કરે છે. કેવલજ્ઞાનાવરણીય કર્મ કેવલજ્ઞાનનો અર્થાત્ લોકના અતીત, વર્તમાન અને અનાગત સમસ્ત પદાર્થોને યુગપ (એક સાથે) જાણનારા જ્ઞાનનો અવરોધ કરે છે. દર્શનાવરણીય કર્મની ઉત્તરપ્રકૃતિઓ નવ છે : (૧) ચક્ષુદર્શનાવરણ, (૨) અચક્ષુદર્શનાવરણ, (૩) અવધિદર્શનાવરણ, (૪) કેવલદર્શનાવરણ, (૫) નિદ્રા, (૬) નિદ્રાનિદ્રા, (૭) પ્રચલા, (૮) પ્રચલાપ્રચલા અને (૯) સ્વાનદ્ધિ (સ્યાનગૃદ્ધિ). આંખ વડે પદાર્થોના સામાન્ય ધર્મના ગ્રહણને દર્શન કહે છે. એમાં પદાર્થનો સાધારણ આભાસમાત્ર હોય છે. ચક્ષુર્દર્શનનું આવરણ કરનાર કર્મ ચક્ષુદ્ર્શનાવરણ કહેવાય છે. આંખ સિવાય બીજી ઈન્દ્રિયો વડે તેમ જ મન વડે પદાર્થોનો જે સામાન્ય પ્રતિભાસ થાય છે તેને અચસુર્દર્શન કહે છે. આ જાતના દર્શનનું આવરણ કરનાર કર્મને અચક્ષુદર્શનાવરણ કહેવામાં આવે છે. ઈન્દ્રિય અને મનની અપેક્ષા રાખ્યા વિના આત્મા દ્વારા આત્માને થતો રૂપી દ્રવ્યોનો સામાન્ય બોધ અવધિદર્શન કહેવાય . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy