SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ આપવામાં આવ્યું છે. આ શુદ્ધ નિશ્ચયનયને સમજવા માટે વ્યવહારનયની આવશ્યકતા છે એમ તેમાં (ગાથા ૭ વગેરે) કહેવામાં આવ્યું છે. આ કૃતિમાં કેટલાય વિષયોની પુનરાવૃત્તિ દેખાય છે. તેમાં નીચે જણાવેલા વિષયો આવે છે: જીવના સ્વસમય અને પરસમયની વિચારણા, જ્ઞાયક ભાવ અપ્રમત્ત છે અર્થાત્ પ્રમત્ત નથી એવું વિધાન, ભૂતાર્થ અર્થાત્ શુદ્ધ નય દ્વારા જીવ વગેરે નવ તત્ત્વોનો બોધ જ સમ્યગ્દર્શન, જે નય આત્માને બંધરહિત, પરથી અસ્પષ્ટ, અનન્ય, નિયત, વિશેષરહિત અને અસંયુક્ત દેખે છે તે નય શુદ્ધ નય, સાધુ દ્વારા રત્નત્રયની આરાધના, પ્રત્યાખ્યાનનો જ્ઞાનરૂપે ઉલ્લેખ, ભૂતાર્થનો આશ્રય લેનારો જીવ જ સમ્યગ્દષ્ટિ, કર્મના ક્ષયોપશમ અનુસાર જ્ઞાનનાં ભેદ, વ્યવહારનય અનુસાર બધા અધ્યવસાય વગેરેનો જીવરૂપે નિર્દેશ, જીવનું અરસ, અરૂપ વગેરે રૂપે વર્ણન, બંધનું કારણ, જીવપરિણામરૂપ નિમિત્તથી પુગલોનું કર્મરૂપે પરિણમન, જીવનું પુદ્ગલ-કર્મના નિમિત્તથી પરિણમન, નિશ્ચયનય અનુસાર આત્માનું પોતાનું જ કર્તુત્વ અને ભોસ્તૃત્વ, મિથ્યાત્વ, યોગ, અવિરતિ અને અજ્ઞાનનો અજીવ અને જીવના રૂપે ઉલ્લેખ, પુગલકર્મના કર્તા જ્ઞાની યા અજ્ઞાની નથી એવું કથન, બંધના મિથ્યાત્વ આદિ ચાર હેતુ, આ હેતુઓના મિથ્યાદષ્ટિથી શરૂ કરી સયોગિકેવલી સુધી તેર ભેદ, સાંખ્યદર્શનની પુરુષ-પ્રકૃતિ વિષયક માન્યતાઓનું નિરસન, જીવમાં તેના પ્રદેશો સાથે કર્મ બદ્ધ અને સ્પષ્ટ છે એવું વ્યવહારનયનું મન્તવ્ય અને અબદ્ધ અને અસ્પૃષ્ટ છે એવું નિશ્ચયનયનું મન્તવ્ય, કર્મના શુભ અને અશુભ બે પ્રકાર, જ્ઞાનીને દ્રવ્યઆગ્નવોનો અભાવ, સંવરનો ઉપાય, જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ, સમ્યગ્દષ્ટિના નિઃશંકિત આદિ આઠ ગુણોનું નિશ્ચયનય અનુસાર નિરૂપણ, અજ્ઞાનમય અધ્યવસાયનો બંધના કારણરૂપે નિર્દેશ, માત્ર વ્યવહારનયના આલંબનની નિરર્થકતા, અભવ્યના ધર્માચરણના હેતુરૂપે ભોગની પ્રાપ્તિ, આત્માનું પ્રજ્ઞા દ્વારા ગ્રહણ, વિષકુંભના પ્રતિક્રમણ આદિ અને અમૃતકુંભના અપ્રતિક્રમણ આદિ આઠ આઠ પ્રકાર, આત્માનું કથંચિત કર્તુત્વ અને ભોસ્તૃત્વ, ખડી માટીના દૃષ્ટાંત દ્વારા નિશ્ચયનય અને વ્યવહારનયનું સ્પષ્ટીકરણ, દ્રવ્યલિંગના સ્વીકારનું કારણ વ્યવહારનય, અજ્ઞાનીઓની (આત્માનું ખરું સ્વરૂપ ન જાણનારાઓની) “જીવ કોને કહેવો એ વિશે ભિન્ન ભિન્ન માન્યતાઓ (જેમકે કોઈ અધ્યવસાયને, કોઈ કર્મને, કોઈ અધ્યવસાયોના તીવ્ર ૧. અહીં આ બંને શબ્દોનો આધ્યાત્મિક દૃષ્ટિએ અર્થ કરવામાં આવ્યો છે, પરંતુ સન્મતિપ્રકરણ (કાંડ ૩, ગાથા ૪૭ અને ૬૭)માં તેમનો ‘દર્શન'ના અર્થમાં પ્રયોગ થયો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy