SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ હતાં. પતિના આદર્શની પુષ્ટિ લાલબહાદુર શાસ્ત્રી ભારતના આદર્શ વડાપ્રધાન હતા. તેમની સાદાઈ, નમ્રતા અને લોકો પ્રત્યેની ઊંડી અનુકંપા અનન્ય તેમના પત્ની લલિતાદેવી પણ શાસ્ત્રીજી જેવા જ સાદગીવાળા અને નમ્ર હતા. લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા ત્યારે તેમના પુત્રોએ એવો આગ્રહ કર્યો કે અમારા માટે એક મોટર ખરીદવામાં આવે. લાલબહાદુર શાસ્ત્રીએ પોતાના ખાનગી સચિવને બોલાવ્યા અને પૂછ્યું, “બેંકમાં મારા ખાતામાં કેટલી રકમ જમા છે ?’’ સચિવે કહ્યું, ‘“ચાર હજાર રૂપિયા.’ “અને મોટરની શી કિંમત થાય?” ‘બારેક હજાર રૂપિયા જેટલી!'' છેવટે શાસ્ત્રીજીએ સરકારી ઋણ લઈને એક મોટર ખરીદી. તેમને હતું કે ધીમે ધીમે હું આ ઋણ ચૂકવી દઈશ. પણ એવામાં ૧૯૬૬ ના જાન્યુઆરીની ૧૧મી તારીખે તેમનું અચાનક મૃત્યુ થયું. શાસ્ત્રીજીએ ઋણ તરીકે લીધેલી રકમ માફ કરવાનું સરકારે નક્કી કર્યું. પરંતુ શાસ્ત્રીજીના વિધવા પત્ની લલિતાદેવીએ પોતાના પતિના આદર્શને ધ્યાનમાં રાખીને સ૨કા૨ના નિર્ણયનો અસ્વીકાર કર્યો અને શાસ્ત્રીજીના કુટુંબને મળતા માસિક નિવૃત્તિવેતનમાંથી ચાર વર્ષ સુધીમાં હપ્તે હપ્તે દેવાની રકમ ચૂકવી આપી. એ રીતે બધું દેવું તેમણે સરકારને ચૂકવી દીધું. શ્રીમતી લલિતાદેવીએ આ રીતે પતિના ઉચ્ચ આદર્શને જરા પણ ઝાંખપ લાગવા દીધી નહિ. ૨૨ Jain Education International For Private & Personal Use Only જીવન સાફલ્ય www.jainelibrary.org
SR No.001303
Book TitleJivan Safalya
Original Sutra AuthorN/A
AuthorMitesh A Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy