SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર્ય-સુવાસ ૭૫ આ વિદ્વાન તે બીજા કોઈ નહીં પણ ચાલુ સદીની શરૂઆતમાં થયેલા જૈન સમાજના મહાપંડિત શ્રી ગોપાલદાસજી બરયા. ૭) સાત્વિકતાનું ફળ ગઈ સદીમાં થયેલા આપણા દેશના રાષ્ટ્રીય કક્ષાના એક નેતાની આ વાત છે. તેઓ મોટી ઉંમર સુધી સ્કૂર્તિવાળા રહેલા અને ચીવટ અને પ્રસન્નતાથી દરેક કાર્ય કરતા. આ જોઈને કેટલાક યુવાનોએ તેમને પ્રશ્ન કર્યો, “આપ આ ઉંમરે આટલી સુંદર રીતે કાર્ય કરી શકો છો તેથી અમને એમ લાગે છે કે તમે શરીરસ્વાથ્યની રક્ષા માટે કોઈ ખાસ કીમિયો અજમાવતા હશો. શું તમે અમને તે કીમિયો ન બતાવો ?” દાદાજી બોલ્યા, “ભાઈઓ ! આ ઉપાય તદન સીધોસાદો છે. મારા દીર્ધાયુષ્યનું રહસ્ય એ છે કે હું કદાપિ માંસ ખાતો નથી, દારૂ પીતો નથી, તમાકુ સિગારેટનું વ્યસન સેવતો નથી અને તીખી ચટણીઓ કે અથાણાંઓનું ભોજન લેતો નથી અને તમોગુણને ઉશ્કેરે એવી સોબત કરતો નથી.” યુવાનો આ સાંભળી સ્તબ્ધ થઈ ગયા. મનોમન દાદાજીની પ્રશંસા કરવા લાગ્યા અને કેટલાક વિચારવાનોએ તે પ્રમાણેનું જીવન જીવવા નિશ્ચય કર્યો. આ મહાપુરુષ તે બીજા કોઈ નહીં પરંતુ હિંદના દાદા'ના નામે ઓળખાયેલા શ્રી દાદાભાઈ નવરોજી. આ ઉપરોક્ત પ્રસંગ તેમની ૮૬મી જન્મજયંતીની ઉજવણી વખતે મુંબઈમાં બન્યો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001294
Book TitleCharitrya Suvas
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy