SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર્ય-સુવાસ કહ્યું : ‘જુઓ, આ માણસના માથા ઉપર આટલો બધો ભાર છે. આપણી ફરજ છે કે તેને માર્ગ આપવા માટે એક બાજુ ખસી જવું, જેથી તેને તકલીફ ન થાય અને અકસ્માત થતો બચી જાય.' ‘ભાર'ને માન આપવાથી શ્રમનું સન્માન થાય છે અને શ્રમનું સન્માન કરવાથી માનવમાત્રનું સન્માન થાય છે. આ વાત કેવળ શ્રીમંતાઈમાં ઊછરેલા અભિમાની જીવોને ક્યાંથી સમજાય ? પ આમ સા બ રાજા અક્બર દરબાર ભરીને બેઠા હતા. તેમણે ભીંત ઉપર એક લીટી દોરી અને સભાજનોને કહ્યું કે આ લીટીને કાપ્યા વગર તેને ટૂંકી બનાવી દો. સૌ વિચારમાં પડી ગયા કે આમ કઈ રીતે થાય ? ૫૨ હાજરજવાબી બીરબલ તરફ સૌની નજર ગઈ. તેઓ ભીંત પાસે આવ્યા. બાદશાહે દોરેલી લીટીની બાજુમાં તેનાથી મોટી એક લીટી દોરી. સભાજનોને અને રાજાને જવાબ મળી ગયો. બીરબલે દોરેલી લીટીની સરખામણીમાં હવે રાજાની લીટી ટૂંકી લાગતી હતી. આ વાતને જીવનમાં લાગુ પાડીએ તો આપણું જીવન ઉદાત્ત બની જાય. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને નીચે પાડવા માટે તેની ભૂલો કે મર્યાદાઓ શોધવાની જરૂર નથી, પરંતુ આપણી જાતને કે સંસ્થાને સારાં કાર્યોથી કે ગુણોથી આગળ વધારવાનો પ્રયાસ કરવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001294
Book TitleCharitrya Suvas
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy