SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર્ય-સુવાસ હતી, તેથી તેણે મહાત્મા જીસસ પાસે રાત્રે જઈ ઘર્મબોધ આપવા માટે પ્રાર્થના કરી. મહાત્માએ તે સમયે બોધ આપ્યો નહીં અને તે માણસને દિવસે આવવા જણાવ્યું. આમ જ્યાં સુધી સાધના જીવનમાં લક્ષ્ય બંધાય નહીં ત્યાં સુધી તેનામાં યથાર્થ પાત્રતા આવતી નથી. જ્યારે સદ્વર્તન દ્વારા શ્રીગુરુનો બોધ પચાવવાની તાકાત આવે છે ત્યારે જ તેમનો સાચો બોધ મળે છે. આમ બન્યા વિના બાહ્ય ક્રિયાકાંડ વગેરે અથવા બીજા જપ-તપ-શાસ્ત્રાભ્યાસ લાંબો સમય સુધી કર્યા છતાં ફળ મળતું નથી, કારણ કે અપૂર્વ માહાસ્યવાળા પરમાત્મતત્ત્વમાં પરમ પ્રેમ ઊપજ્યો નથી તો સાચી એકાગ્રતા ક્યાંથી આવે અને તેના વિના સાચી સમાધિ કેવી રીતે પ્રગટે ? ૪૫ પ્રથમ સ્થાનો અધિકારી +-- ------- - - -------- - ------ --- ----- ----- - ~--- -- --- ----- ઉદયન મંત્રીના પુત્ર બાહડે પિતાની અધૂરી રહેલી ઇચ્છા પૂરી કરવા જૈનોના શત્રુંજય તીર્થનો પુનરુદ્ધાર કરાવ્યો હતો. તીર્થોદ્ધારનો આરંભ થયો ત્યારે આ પુણ્યકાર્યમાં ભાગ લેવા ઘણા ગૃહસ્થો આવ્યા અને કહેવા લાગ્યા કે મંત્રીજી ! અમને પણ પુણ્યકાર્યમાં યથાશક્તિ ભાગ લેવા દો. જોકે તમે એકલા તે કાર્ય કરવાને સમર્થ છો, છતાં અમને પણ પુણ્યકાર્ય કરવામાં થોડો ફાળો આપવા દો. ગૃહસ્થીઓએ યથાશક્તિ પૈસા આપવા માંડ્યા. મંત્રીએ તે બધાનાં નામ ટીપમાં ભર્યા. એવામાં “ભીમો કુલડિયો’ નામનો એક ગરીબ વણિક સાત પૈસા લઈને આવ્યો અને બોલ્યો : “મંત્રીજી, હું આ સાત પૈસા મહામહેનતે બચાવીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001294
Book TitleCharitrya Suvas
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy