SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર્ય-સુવાસ પદ પરથી પાંચ વર્ષ માટે દૂર કરી દીધો. ન્યાય માગવા આવેલ વ્યક્તિએ રાજાની ન્યાયપ્રિયતા, કુનેહ અને પ્રજાવાત્સલ્ય જોઈ અંતરથી રાજાને આશીર્વાદ આપ્યા અને યોગ્ય ન્યાય મળવાથી આપઘાતનો વિચાર પડતો મૂકયો. - સત્યનો વિજય થયો. સર્વત્ર – રાજદરબારમાં અને નગરમાં – આનંદ પ્રસરી રહ્યો. ૨૭ અનુકરણ ----- - ------ - - -- - ---- --------- - - ---- -- આદ્ય જગદ્ગુરુ શ્રી શંકરાચાર્યના સંબંધમાં એવું કહેવાય છે કે તેમના શિષ્યો તેમનું ખોટું અનુકરણ કરતા. એક દિવસ તેઓ શિષ્યો સહિત બજાર વચ્ચેથી જતા હતા ત્યારે તેમણે તાડીવાળાની દુકાનેથી તાડી પીધી. અણસમજુ શિષ્યો પણ ગુરુનું અનુકરણ કરી એકબીજા સામે જોઈ મલકાતા મલકાતા તાડી પીવા લાગ્યા. જગદ્ગુરુ આગળ ચાલ્યા, ત્યાં એક જગ્યાએ સીસાનું ગાળણ થતું હતું ત્યાં જઈ તેઓ ઊભા રહ્યા અને કડાઈમાંથી ઊકળતું સીસું લઈને પીવા લાગ્યા ! શિષ્યો એકબીજા સામું જોઈ મલિન મુખ કરી જડ થઈને ઊભા રહ્યા, સીસું પીવાની કોઈની હિંમત ચાલી નહીં. શંકરાચાર્ય ત્યારે બોલ્યા : “તમે દુર્ગુણોનું અનુકરણ કરવા ચાહો છો, જે તમારે માટે નરકનું સાધન છે અને સ્વર્ગનું પદ અપાવનાર સગુણોનું તમે અનુકરણ કરતા નથી.” આટલું કહીને શિષ્યોને ઉપદેશ આપતાં કહ્યું : “ગુરુ કહે તે કરીએ, ગુર કરે તે ન કરીએ.” આ સાંભળી બધા શિષ્યો શ્રીમદ્ શંકરાચાર્યને પગે પડી માફી માગવા લાગ્યા. ગુણોનું તમે નરકનું સાધન નું અનુકરણ કરતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001294
Book TitleCharitrya Suvas
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy