SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસાનો પૂજારી સંયુક્ત પ્રાંત અને હરિયાણાની સરહદ પાસે, દિલ્હીથી આશરે ૧૨૦ કિ.મી. ઉત્તરે સહારનપુર નામનું નગર છે. ત્યાંના એક પ્રસિદ્ધ જમીનદાર લાલા જબ્રૂપ્રસાદજીના જીવનની આ ઘટના છે. વર્તમાન સદીના પહેલા દાયકાનો એ સમય, એટલે અંગ્રેજ અમલદારોની ખૂબ ઘાક. ત્યાંના અંગ્રેજ કલેક્ટરે લાલાજી પાસે શિકાર કરવા માટે તેમનો હાથી માગ્યો. લાલાજીએ કહ્યું: “સાહેબ, શિકાર માટે હું હાથી આપું તો મારો અહિંસાધર્મ લાજે, તેવા મોટી હિંસાના કાર્ય માટે મારો હાથી આપને મળી શકશે નહીં.” તે જમાનામાં મોટા અંગ્રેજ અમલદારનું અપમાન એટલે સર્વનાશને આમંત્રણ. આ બનાવ પછી થોડા મહિનાઓ સુધી પેલા કલેક્ટરે જુદી જુદી જાતની ધમકીઓ દ્વારા લાલાજીને બીક બતાવી. આખરે જ્યારે જાણ્યું કે લાલાજી પોતાના નિશ્ચયમાંથી ડગે તેવા નથી ત્યારે કલેક્ટર જાતે જ લાલાજી પાસે ગયા અને કહ્યું : “કેમ શેઠજી, મારી માગણીનો શું વિચાર કર્યો ? મારી માગણી નહીં સ્વીકારો તો તેનું શું પરિણામ આવશે તેનો તમને ખ્યાલ છે ?” લાલાજી કહે : “સાહેબ, જો હું દોષિત ઠરીશ તો આપ મને જેલમાં પુરાવશો, કદાચ આ બધી જમીન-જાયદાદ જપ્ત કરાવશો કે વધુમાં વધુ ફાંસીની સજા કરાવશો, બસ એટલું જ ને ? પણ મારો અહિંસાધર્મ તો સચવાઈ જશે ને ? એનાથી વિશેષ મારે માટે કાંઈ નથી.” આવો નિર્ભય અને અડગ વિશ્વાસપૂર્વક ઉત્તર સાંભળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001294
Book TitleCharitrya Suvas
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy