SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ૧૧૯ ઊપજતી નથી તથા સમ ભય અને આઠ મદથી રહિતપણું થઈ નવનિધ પ્રત્યથી પણ વૃત્તિ હટી જાય છે. આમ, આ સમકશ્રદ્ધા અતિ અપૂર્વ અને કલ્યાણ પંરપરાની જનની છે; તેથી તેની ઉપાસના સાધકે અગ્રિમતાના ધોરણે કરવી રહી એવો આત્માનુભવી શ્રીગુરુઓનો ભવ્ય જીવોને ઉપદેશ છે. : શ્રદ્ધાનો મહિમા : (૧) હંસામૂ મો (સાચી) શ્રદ્ધા તે ધર્મનું મૂળ છે. (૨) સર્વગુણાંશ તે સમ્યકત્વ (સાચી શ્રદ્ધા) (૩) જ્ઞાની પુરુષના વાક્યના શ્રવણથી ઉલ્લસિત થતો એવો જીવ ચેતન-જડને ભિન્નસ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે. (૪) શ્રદ્ધા મનુષ્યની તે શક્તિઓમાંની એક છે જે મનુષ્યને જીવંત રાખે છે; શ્રદ્ધાના પૂર્ણ અભાવનું નામ જ જીવનનું અવસાન છે. (૫). વિશ્વાસ, વિશ્વાસ, પોતાના આત્મામાં વિશ્વાસ, ઈશ્વરમાં વિશ્વાસ. આ જ જીવનસફળતાનું રહસ્ય છે. (૬) મો કહાં તું ટૂંઢે બંદે હૈં તો તેરે પાસમેં, કહત કબીર સુનો ભાઈ સાધો મેં તો હું વિશ્વાસમેં. આપણને બીજામાં દોષ દેખાય તો જાણવું કે આપણામાં જ દોષ છુપાયેલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001290
Book TitleAdhyatma Pathey
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1996
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy