SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ૧૦૫ (૪) આત્મા એકલો જ જન્મો, એકલો જ મરશે અને એકલો જ કરેલાં કર્મનું ફળ ભોગવશે એમ અનુચિંતન તે એકત્વભાવના. સંસારમાં કોઈ કોઈનું ખરેખર નથી એમ ચિતવવું તે અન્યત્વભાવના. શરીર અપવિત્ર છે, રોગ-મળ-મૂત્ર-રક્ત-માંસાદિથી ભરેલું છે એમ ચિતવવું તે અશુચિભાવના. રાગ, દ્વેષ, અજ્ઞાન વગેરે ભાવો કરવાથી આત્મામાં નવાં કર્મોનું આવવું થાય છે એમ ચિતવવું તે આસ્ત્રવભાવના. જ્ઞાન-ધ્યાનમાં પ્રવર્તવાથી નવાં કર્મો આત્મામાં આવતાં અટકી જાય છે એવું ચિંતવન ને સંવરભાવના. (૯) સાચું તપ આદરવાથી જૂનાં કર્મો આત્માથી છૂટાં પડી જાય છે એમ ચિંતવવું તે નિર્જરાભાવના. (૧૦) ઊર્વલોક, મધબ્લોક અને અધોલોકના સ્વરૂપનું ચિંતવન તે લોકસ્વરૂપભાવના. (૧૧) સંસારમાં પરિભ્રમણ કરતા એવા આત્માને સાચું જ્ઞાન, સાચો સંયમ પ્રાપ્ત થવાં અતિ અતિ દુર્લભ છે એમ ચિંતવવું તે બોધિદુર્લભભાવના. (૧ર) સધર્મના ઉપદેશક અને શુદ્ધ શાસ્ત્રોની પ્રાપ્તિ થવી પરમદુર્લભ છે એમ ચિંતવવું તે ધર્મદુર્લભભાવના. આ પ્રકારે વૈરાગ્યભાવની સાધના કરવા માટે સ્વાર્થની વાતો અને સ્વાર્થનાં કાર્યોથી પાછા વળવું આવશ્યક છે. આ માટે નોકરી-ધંધામાં, ખાવા-પીવામાં, ગપ્પાં મારવામાં, રેડિયો-ટેલિવિઝનમાં, છાપાં• જેણે એક પરમાત્માને રખેવાળ રાખ્યો છે તેણે કદી ઊની આંચ પણ અનુભવી નથી. ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001290
Book TitleAdhyatma Pathey
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1996
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy