SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો G થ એટલે કે આચાર તે જ પ્રથમ ધર્મ છે અથવા ચારિત્ર તે જ ખરો ધર્મ છે એવા સિદ્ધાંતોનું સૂત્રરૂપે પ્રતિપાદન થયું છે. આચારની સુધારણા વિનાનું ગમે તેટલું જ્ઞાન હોય તો પણ પરમાર્થમાં જ્ઞાનીઓએ તેને શુષ્ક જ્ઞાન કહ્યું છે. 0 સંયમની બીજી શ્રેણીમાં ન્યાયપૂર્વકની ભોગવૃત્તિ ઉપર પણ સ્વૈચ્છિક મર્યાદા લાવવામાં આવે છે, જેના ફળરૂપે પ્રસિદ્ધ એવા અહિંસા, સત્ય, અચૌર્ય, કુશીલત્યાગ અને પરિગ્રહમર્યાદાની ઉત્તમવ્રતરૂપ પ્રવૃતિનો સમગપણે ઉદય થાય છે. જે જે પ્રકારો, વ્યાપારો, આરંભો અને પ્રક્રિયાઓ અણુવ્રતોનું પાલન ન થવા દે તેવી હોય તેનો ધીમે ધીમે સંક્ષેપ કરવામાં આવે છે જેથી પાપકર્મોનું બંધન ઓછું થઈ જાય છે અને અનેક પવિત્ર ભાવનાઓ જાવનમાં ઉદય પામે છે. વળી નિવૃત્તિનો વધારે સમય મળવાથી સ્વાધ્યાય-સત્સંગ આદિ સસાધનોમાં શાંતિથી ચિત્ત પરોવી શકાય છે અને કેમ કરીને પૂર્ણ સંયમની તૃતીય શ્રેણીની ભૂમિકા તૈયાર થાય છે. કોઈ પણ સદ્દગુણને પ્રાપ્ત કરવા માટે તે ગુણને પ્રથમ ઓળખવો જોઈએ; અને તેને ઓળખવા માટેનો સર્વોત્તમ ઉપાય તે ગુણ જેના તન, મન, ધન, સાધન અને ક્રિયા દ્વારા સતત અન્યના શ્રેયાર્થે લાગ્યા રહેવું તે પૂર્ણ દયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001290
Book TitleAdhyatma Pathey
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1996
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy