SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચન્દ્રજી પપ વૃત્ત ! શ્રીમદ્ પ્રત્યક્ષ પ્રગટ આત્મસિદ્ધિને પ્રાપ્ત થયેલ પુરુષ હતા, અને એટલે જ એમણે રચેલી આત્મસિદ્ધિશાસ્ત્ર આદિ રચનાઓમાં અપૂર્વ દંવત અનુભવી શકાય છે.” જન્મ : શ્રીમદ્ રાજચંદ્રજીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી રાજ્યના વવાણિયા ગામે થયો હતો. તે શુભ દિવસ કાર્તિક સુદ પૂનમ, વિ. સં. ૧૯૨૪ની દેવદિવાળીનો હતો. (રવિવાર, તા. ૯-૧૧-૧૮૬૭) તેમના દાદાનું નામ પચાણભાઈ મહેતા હતું. તેમણે પાસેના માણેકપરા ગામમાંથી વવાણિયામાં આવીને વહાણવટાનો અને શરાફનો ધંધો ચાલુ ર્યો હતો. શ્રીમની માતાનું નામ દેવાબા અને પિતાનું નામ રવજીભાઈ હતું. ધાર્મિક સંસ્કારોવાળા ભક્તિમાન અને સેવાભાવી દંપતીના સંદર્ભમાં બે કથાઓ જાણીતી છે. પહેલી કથા છે એક વૃદ્ધ આડતિયાની અને બીજી કથા છે એક સંત ફકીરની. આ બન્નેની આ દંપતીએ તન-મન-ધનથી ખૂબ ભાવસહિત સેવા કરેલી. તેથી પ્રસન્ન થઈ તેઓએ એક પ્રતાપી પુરુષ તેમને ઘેર પુત્ર તરીકે જન્મશે એવા આશીર્વાદ આપેલા. આ બનાવો બન્યા પછી કેટલાક કાળે શ્રીમદ્ભો જન્મ દેવદિવાળીને શુભદિને થયો હતો. ગુજરાતના જેનસમાજમાં આ દિવસ કળિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના જન્મદિવસ તરીકે અને પાલિતાણાની યાત્રાના પ્રારંભના પવિત્ર અને મંગલમય દિવસ તરીકે ઉજવાય છે. જન્મસમયે તેમનું નામ લક્ષ્મીનંદન રાખવામાં આવ્યું હતું, પરંતુ ચાર વર્ષની વયે તે બદલીને રાયચંદ રાજચંદ્ર રાખવામાં આવ્યું, અને એ જ નામથી તેઓ પ્રસિદ્ધિ પામ્યા. બાલ્યકાળ : બાળપણથી જ શ્રીમદ્રને તેમના કુળ તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર મળ્યા હતા, કારણ કે તેમના દાદાજી કૃષ્ણભક્ત હતા. બીજી બાજુ માતા દેવાબા જૈન ધર્મના સંસ્કાર લાવ્યાં હતાં. આમ બાળપણમાં તેમનો ઉછેર વૈષ્ણવ અને જૈન સંસ્કારોના મિશ્ર વાતાવરણમાં થયો. આમ છતાં વાચનની ખૂબ જ રુચિ હોવાને લીધે જ્યારે તેમણે જૈનોનાં પ્રતિક્રમણાદિ સૂત્રોનું વાચન કર્યું ત્યારે તેમાં આવતી સર્વ જીવો પ્રત્યેની દયાભાવના અને ક્ષમાપના દ્વારા પ્રગટ થતો વિનય–આ બે ગુણો તેમના સંસ્કારી હૃદયને સ્પર્શી ગયા. ધીમે ધીમે “જૈન સૂત્રો” પ્રત્યે તેમનો પ્રેમ વધતો ગયો. જ્ઞાનપ્રધાન તથા ત્યાગપ્રધાન જૈન વાતાવરણ મધ્ય, પૂર્વનો તેમનો આરાધક આત્મા વૈરાગ્યપ્રધાન જેન ધર્મ પ્રત્યે વધારે આકર્ષાતો જતો હતો. બાળજીવનની આ કુમળી વયે તેમના જીવનમાં એક મહત્ત્વનો પ્રસંગ બન્યો. જાતિસમરણશાન : વિ. સં. ૧૯૩૧ માં, શ્રીમન્ના એક વડીલ નેહી શ્રી અમીચંદભાઈનું સર્પદંશથી મૃત્યુ થયું. એ વખતે શ્રીમદે દાદાજીને પૂછયું કે મૃત્યુ એટલે શું? દાદાએ કહ્યું: “તેમનામાંથી જીવ નીકળી ગયો અને હવે તેઓ હાલી ચાલી કે બોલી શકશે નહીં, માટે તેમને તળાવ પાસેના સ્મશાનમાં બાળવામાં આવશે. આ સાંભળી શ્રીમદ્ વિચારોની શ્રેણીએ ચઢી ગયા. ઊંડી વિચારણાથી તેમનું અજ્ઞાનનું આવરણ ખસી ગયું અને તેમને આગલા ભવોનું જ્ઞાન થયું. તે આવરણ ઉત્તરોત્તર ખસતું ગયું. તેઓ જ્યારે જૂનાગઢ ગયા ત્યારે તે આવરણ એકદમ દૂર થઈ ગયું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001288
Book TitleArvachin Jain Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1988
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy