SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. મહાપંડિત શ્રી લાલન પૂર્વભૂમિકા અને જન્મ : ઈ. સ. ૧૮૫૭ની સાલ ભારતને માટે સંઘર્ષ ઉત્તેજના અને સંક્રાંતિનો કાળ હતો. એક બાજુ અંગ્રેજી સલતનત કોઈ પણ ભોગે ભારતવાસીઓ ઉપર પોતાની સાર્વભૌમ સત્તા કાયમને માટે સ્થાપવા કૃતનિશ્ચયી બની હતી અને વિવિધ આયોજનો કરી રહી હતી, ત્યારે બીજી બાજુ ભારતીય પ્રજા અને ખાસ કરીને લશ્કરમાં અંગ્રેજી સલ્તનત સામે અનેક કારણોસર અસંતોષ ઉત્પન્ન થયો હતો. આવા કપરા કાળમાં, પશ્ચિમ ભારતના એક નાનકડા ગામ, કચ્છના માંડવીમાં, પિતાશ્રી કપૂરચંદભાઈ અને માતા મોંઘીબાઈને ઘેર દિનાંક ૧–૪–૧૮૫૭ના રોજ એક હસમુખા બાળકનો જન્મ થયો. સામાન્ય રીતે તરત જન્મેલું બાળક રડે છે, જ્યારે આ બાળક રડતું ન હતું જેથી સૌને નવાઈ લાગી. માતા મોંઘીબાઈને આ હસમુખા બાળકને જોઈ આનંદ અને આશ્ચર્યની લાગણીઓનો અનુભવ થયો. બાળકનું નામ ફતેહગંદ રાખવામાં આવ્યું. - લાલન ગોત્રનો ઇતિહાસ ખૂબ ઉજજવળ રહ્યો છે. વિ. સં. ૧૧૭૩માં નગરપારકરમાં રાવજી ઠાકોરને ત્યાં બે પુત્રોનો જન્મ થયો : “લાલણ” અને “લખધીર'. ૩૨ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001288
Book TitleArvachin Jain Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1988
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy