SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ લધુરાજસ્વામી ૨૭ લલ્લુજીના માતુશ્રીને આ સમાચાર મળતાં તેઓ પણ મુનિશ્રી પાસે પહોંચી ગયાં અને મુનિશ્રીને વિનંતી કરી કે લલુભાઈ હાલમાં બે વર્ષ વૈરાગ્યભાવે ઘરે રહે, ત્યારબાદ તેમને દીક્ષા લેતા પોતે રોકશે નહિ. આમ નક્કી થતાં સૌ વટામણ પાછા ફર્યા. વિ. સં. ૧૯૪૦માં ધર્મપત્ની નાથીબાઈએ એક પુત્રરતનને જન્મ આપ્યો, જેનું નામ મોહન રાખવામાં આવ્યું. બાળક જ્યારે સવા માસનું થયું ત્યારે લલ્લુજી તથા દેવકરણજી ગોધરા મુકામે ગુરુને વંદન કરવા ગયા અને દીક્ષાની પુન: માંગણી કરી. ગુરુએ વૈરાગ્યનો બોધ આપ્યો અને હાલમાં ધીરજ રાખવા જણાવ્યું. લલ્લુજીએ મુનિશ્રીને વટામણ પધારવાનું આમંત્રણ આપ્યું, જે તેમણે સ્વીકાર્યું અને તેઓ વટામણ મુકામે પધાર્યા. વૈરાગ્યના બોધથી રંજિત થયેલાં માતાજીએ લલુજીને દીક્ષાની સંમતિ આપી અને આમ, વિ. સં. ૧૯૪૦ના જેઠ વદ ત્રીજને મંગળવારે, શુભ મુહૂર્તમાં ખંભાત મુકામે તેમની તથા શ્રી દેવકરણજીની દીક્ષાઓ થઈ. તપશ્ચર્યા અને સાધુચર્યાનું પાલન: લલુજી મુનિની દીક્ષા પછી ખંભાત સંપ્રદાયના આ સંઘમાં લગભગ ચૌદ સાધુ દીક્ષિત થયા ને સંઘ નવરચના પામ્યો, જેથી ગુરુજીની દૃઢ માન્યતા થઈ કે લલુજી મુનિનાં પગલાં ઘણાં મંગળકારી છે. લલુજી તથા દેવકરણજી મુનિ શાસ્ત્રાભ્યાસ, સ્તવન–ભક્તિ પદો વગેરે મુખપાઠ કરવામાં અને ધ્યાનાદિમાં પ્રવૃત્ત રહેવા લાગ્યા. લલ્લુજી મુનિ ખાસ કરીને ઉપવાસાદિ તપશ્ચર્યાનું વિશેષ આરાધન કરતા રહ્યા. સળંગ પાંચ વર્ષ સુધી તેમણે એકાંતરા ઉપવાસ કર્યા. એક સમયે તો તેમણે ૧૭ દિવસના સળંગ ઉપવાસ પણ કર્યા. મુનિશ્રી લલ્લુજી તેમની સરળતા, ગુરુભક્તિ અને પુણ્યપ્રભાવથી સકળ સંઘમાં તથા સમાજમાં લોકપ્રિય થઈ પડ્યા. શ્રીમદ્ રાજચંદ્રજીનો સમાગમ: વિ. સં. ૧૯૪૬ માં લલ્લુજી મુનિને ખંભાતના મુમુક્ષ શ્રી અંબાલાલભાઈ દ્વારા સમાચાર પ્રાપ્ત થયા કે થોડા વખતમાં શ્રીમદ્ રાજચંદ્ર નામના એક અસાધારણ આત્મજ્ઞાની મહાપુરુષ ખંભાત પધારવાના છે. દિવાળીના દિવસોમાં જ્યારે શ્રીમદ્ ખંભાત પધાર્યા ત્યારે અંબાલાલભાઈ તેમને શ્રી હરખચંદજી મહારાજ પાસે લઈ ગયા. ત્યાં ગુરુની આજ્ઞા લઈ ઉપાશ્રયના મેડા ઉપર પ્રથમ દર્શન દરમ્યાન જ શ્રી લલ્લુજીએ શ્રીમદ્ભ ત્રણ સાષ્ટાંગ નમસ્કાર કર્યા અને આત્માની ઓળખાણ તથા બ્રહ્મચર્યની દૃઢતા માટે માગણી કરી. શ્રીમદ્જીએ પણ તેમને પૂર્વના સંસ્કારી આત્મા જાણી, પોતે ખંભાતમાં રહ્યા ત્યાં સુધી દરરોજ બોધ આપ્યો. બ્રહ્મચર્યની સિદ્ધિ માટે ઉણોદરી, રસાસ્વાદત્યાગ ઇત્યાદિ તપની સાથે સાથે, સર્વ દેય પદાર્થોની અનિત્યતાનો વિચાર કરી, તે સર્વને જોનાર જાણનાર હું આત્મા છું એવી ભાવનાનો અભ્યાસ કરવા કહ્યું. મુંબઈમાં વિશેષ સમાગમ : વિ. સં. ૧૯૪૭ અને ૧૯૪૮ ના ચાતુર્માસ વટામણ અને સાણંદ મુકામે પૂરા કરી, થોડો સમય સુરતમાં રોકાયા અને ૧૯૪૯ નું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001288
Book TitleArvachin Jain Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1988
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy