SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધેય શ્રી જિનેન્દ્ર વર્ણી તા. ૨૪–૫–૮૩ નો દિવસ આવ્યો. આચાર્યશ્રીનો આહાર થઈ ગયો હતો. ત્યારે શ્રી વર્ણીજી મહારાજે એક એલક મહારાજને કહ્યું...‘આચાર્યશ્રીને સૂચના આપો કે મારી ચેતના લુપ્ત થઈ રહી છે.’” આચાર્યશ્રી એમની નજીક આવ્યા. વિનય સહિત આચાર્યશ્રીને ત્રણ વાર નમસ્કાર કર્યા. આચાર્યશ્રીએ એમને નમસ્કાર મંત્ર બોલવા કહ્યું ત્યારે ૐ નો બે વખત ઉચ્ચાર કર્યો. ત્રીજો ૐ અને એમનું મસ્તક આચાર્યશ્રીના ચરણોમાં ઢળી પડયું. આવી રીતે તેઓશ્રી તા. ૨૪–૫–૮૩ના રોજ સવારે ૧૧ વાગ્યે પરમ શાંત ભાવ સહિત મહાપ્રયાણ કરી ગયા. તેમણે જે નિષ્ઠા અને નિરાકુળતાથી ‘સમાધિમરણ’નાં સુમેરુ પર આરોહણ કર્યું તેનાથી એમની અનાસક્તિ, એમનું નિર્મમત્વ અને દેહભાવથી ઉપર ઊઠી જવાનું સામર્થ્ય સિદ્ધ થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only ૨૬૫ www.jainelibrary.org
SR No.001288
Book TitleArvachin Jain Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1988
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy