SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ચીલાચાલુ કેળવણી તો તેમને આઠ ધોરણ સુધીની જ પ્રાપ્ત થઈ શકી હતી, કારણ કે ચૌદ વર્ષની નાની ઉંમરે જ પિતાજીને તેઓ વેપારમાં મદદ કરવા લાગ્યા હતા. આ કામમાં થોડો વખત વિતાવ્યા પછી તેમણે ખેતી અને ગોપાલનનું કાર્ય કરતી વચ્છરાજ ખેતી લિમિટેડ” નામની કંપનીમાં ભાગીદાર તરીકે કામ કર્યું. થોડાક સમયમાં આ કાર્યમાંથી નિવૃત્ત થયા અને તેમણે વીમાનો વ્યવસાય સ્વીકાર્યો. આ જ તેમનું અર્થોપાર્જનનું મુખ્ય અને દીર્ધકાલીન સાધન રહ્યું. આ વ્યવસાયમાં તેમણે ઘણા દાયકાઓ સુધી કામ કર્યું. ઈ. સ. ૧૯૭૧માં તેમાંથી તેઓ સંપૂર્ણપણે નિવૃત્ત થયા. ૨૨૪ રાષ્ટ્રીયતાનો રંગ : ગાંધી અને ગોખલે દ્વારા પ્રેરિત ‘સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરો' આંદોલનથી પ્રભાવિત થઈને તેમણે વીસ વર્ષની યુવાન વયે, ખાદીના પ્રચાર-પ્રસાર અને વિતરણ-વ્યવસ્થાના કાર્યમાં ઝુકાવ્યું. દિવસે-દિવસે તેમના ઉપર રાષ્ટ્રીયતાનો રંગ વધારે ને વધારે ચઢતો જ ગયો. સ્વતંત્રતાના સૈનિક તરીકે તેમણે ઈ. સ. ૧૯૩૧માં મીઠાના સત્યાગ્રહ” માટે સાડા-ચાર માસનો તેમજ ઈ. સ. ૧૯૩૨માં ધૂળિયા અને વિસાપુરમાં લગભગ તેટલા જ સમય માટે જેલનો કારાવાસ ભોગવ્યો. ઈ. સ. ૧૯૪૨ની ‘“હિંદ છોડો’”ની લડતમાં નાગપુર જેલમાં તેર મહિના સુધી તેમને ફરીથી જેલમાં રહેવું પડયું. ભારતીય સ્વાતંત્ર્યની લડત દરમિયાન આ પ્રકારની વિવિધ સજાઓ ભોગવી તેમણે પોતાના નિષ્ઠાવાન, સ્વતંત્ર સેનાની તરીકેના વ્યક્તિત્વનો પરિચય આપ્યો. મહાપુરુષોના સમાગમ અને સાન્નિધ્યમાં : આઝાદીની પ્રાપ્તિ પહેલાં અને વિશેષ કરીને આઝાદીની પ્રાપ્તિ પછી રાષ્ટ્રીય કક્ષાના અનેક મહાપુરુષોના સમાગમમાં રહેવાનું સૌભાગ્ય તેમને પ્રાપ્ત થયું. પ્રારંભમાં વર્ષા, જલગાંવ અને પૂનાની આજુબાજુના જિલ્લાઓમાં તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર રહ્યું. અહીં તેઓને વિનોબા ભાવે, મહાત્મા ગાંધીજી, કેદારનાથજી, જમનાલાલજી બજાજ, બાળ ગંગાધર ટિળક અને પ્રો. જાજુ જેવી અનેક મહાન વ્યક્તિઓનો સંપર્ક થયો. પોતાના જીવનમાં વિશિષ્ટ ગુણગ્રાહક દૃષ્ટિ કેળવી હોવાને લીધે સેવા, સાદાઈ, પારદર્શક પ્રામાણિકતા, વ્યક્તિગત જીવનની કડક શિસ્ત, ઉચ્ચ પવિત્ર વિચારો, અહિંસા, સ્વાર્થાત્યાગ અને સમૂહકલ્યાણની ભાવના જેવા માનવમાંથી મહામાનવ બનાવનારા સદ્ગુણો તેમણે પોતાના જીવનમાં આત્મસાત્ કર્યા. ત્રણ દાયકાઓ ઉપરાંત વિવિધલક્ષી રચનાત્મક કાર્યોમાં અને રાષ્ટ્રીય આંદોલનોમાં મહત્ત્વપૂર્ણ સેવાઓ આપવા છતાં પદ, પ્રતિષ્ઠા કે પૈસાની તેમણે કદી લાલસા રાખી નહીં. એટલું જ નહીં પરંતુ આઝાદી પછી પ્રધાન કે રાજ્યપાલનું પદ સ્વીકારવાને બદલે સમાજ-સેવામાં અને રાહતકાર્યોમાં તેમજ ત્યારપછી જૈન સમાજની એકતાના કાર્યમાં જ તેઓ અગ્રેસર રહ્યા. પોતાનું વ્યક્તિત્વ મિટાવી સમષ્ટિમાં સમાઈ જવાની તેમની આ લગની ઘણી તીવ્ર હતી, તેથી કૌટુંબિક જીવનમાં તેઓ માત્ર ખપ પૂરતો જ રસ લેતા. તેમનાં ધર્મપત્ની શ્રીમતી રાજકુમારી એક પવિત્ર, પતિવ્રતા અને સેવાનિષ્ટ સન્નારી હતાં. તેમણે રાંકાજીને ખૂબ ખૂબ સહકાર આપ્યો. રાજકુમારીજીએ વર્ષા, વિમળા અને શશિશ એમ ત્રણ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001288
Book TitleArvachin Jain Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1988
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy