SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬. ઉદારચેતા મુનિશ્રી ન્યાયવિજયજી ભૂમિકા અને જન્મ ઃ પશ્ચિમ ભારતના ગુજરાત અને સૌરાષ્ટ્રની સરહદે આવેલું માંડલ ગામ વિદ્યાધામ, યાત્રાધામ અને વ્યાપારધામ તરીકે સુપ્રસિદ્ધ છે. વનરાજ ચાવડાએ અહીં પથ્થરનો કિલ્લો બાંધ્યો હતો. સિદ્ધરાજ સોલંકી અને ભૌમનાથે તેના ઉત્થાનમાં ફાળો આપ્યો હતો અને વિ. સાં. ૧૩૩૬માં શ્રી હક્કસૂરિએ તેને ગુજરાતનાં સૌથી મોટાં છ ધામોમાંનું એક ગણાવ્યું હતું. વર્તમાનયુગમાં રાષ્ટ્રીયતા, સુધારાવાદી દૃષ્ટિકોણ અને વિદ્યાપ્રસારના વિવિધલક્ષી કાર્યક્રમો અપનાવવામાં પણ માંડલે આગેવાની લીધી છે. બનારસની યશોવિજયજી સંસ્કૃત પાઠશાળાના શ્રીગણેશ અહીં જ મંડાયા હતા અને શ્રી જંબુવિજયજી જેવા પ્રખર શ્રુતાભ્યાસી મુનિ પણ અહીં જ થયા છે. આ પ્રાચીન ઇતિહાસપ્રસિદ્ધ નગરીમાં જૈન ધર્માનુયાયીઓ ધણા સૈકાથી વસતા આવ્યા છે. એવા જ એક ધર્મનિષ્ઠ છગનલાલ વખતચંદ દિવાળીબાઈ નામની સંસ્કારી પત્ની સાથે રહેતા હતા. તેમના કુળમાં વિ. સં. ૧૯૪૬માં કા. સુ. ૩ ને મંગળવારે એક પુત્રરત્નનો જન્મ થયો. પહેલું જ બાળક હોવાથી કુટુંબીઓ અને સ્વજનોમાં આનંદની લહેર પ્રસરી ગઈ. બાળકનું સ્વાસ્થ્ય અને સૌંદર્ય વિશિષ્ટ હતું અને તેથી તેનું નામ નરસિંહ રાખવામાં આવ્યું. Jain Education International ૧૮૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001288
Book TitleArvachin Jain Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1988
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy