SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો કાવ્ય-સાહિત્યપ્રેમ : પંડિતજીએ શિક્ષકની નોકરી લગભગ બે વર્ષ સુધી કરી. તે અરસામાં શાયર અમીરઅલીનો પરિચય થતાં તેમને કવિતા બનાવવાનો શોખ જાગ્યો. તેમની કવિતાઓ “કાવ્યસુધાકર”, “રસિક મિત્રા” વગેરે સ્થાનિક સામયિકોમાં છપાવા લાગી. આ કવિતાઓ તેમણે “પ્રેમી” ઉપનામથી લખી હતી. તેઓ કવિતાઓ લખવા ઉપરાંત બીજા કવિઓની કવિતાઓનું સંશોધન પણ કરતા. આમ, લેખકોકવિઓનો સમાગમ વધતાં તેમનામાં પોતાનું જ્ઞાન વધારવાની અભિલાષા જાગી. આ સમય દરમિયાન તેમની નાગપુર બદલી થઈ, પરંતુ તેમની તબિયત બગડી જવાથી પાછા પોતાના વતનમાં આવી ગયા. મુંબઈ ભણી : પ્રેમીજીના જીવનનો આ એક ઐતિહાસિક પ્રસંગ હતો. મુંબઈ પ્રાંતિક જૈન સભા તરફથી એક ક્લાર્કની જગ્યા માટે છાપામાં જાહેરખબર આપવામાં આવી હતી. તે તેમના વાંચવામાં આવી. તેમણે પોતાના હસ્તાક્ષરોમાં લખેલી અરજીનો, થોડા જ દિવસોમાં હકારાત્મક જવાબ આવી ગયો. જો કે મુંબઈ જવા માટે તેમની પાસે રેલવે-ટિકિટ વગેરેના પૈસા નહોતા, પણ તેમના સ્નેહી શેઠ ખૂબચંદજીએ વ્યવસ્થા કરીને તેમને દસ રૂપિયા ઉધાર આપ્યા. આમ ઈ. સ. ૧૯૦૧માં તેઓ મુંબઈ મુકામે કુલાર્કની નોકરીમાં જોડાઈ ગયા. અહીં તેમને છ-સાત કલાકના કામમાં પત્રવ્યવહાર કરવો પડતો. કંશ સંભાળવી પડતી અને “જૈન મિત્ર'' નામના માસિક પત્રનું સંપાદન અને પોસ્ટિંગ કરવું પડતું. પોતાનું કામકાજ પતાવીને તેઓ સંસ્કૃત, મરાઠી, ગુજરાતી અને બંગાળી શીખતા. એક વાર શેઠ અચાનક તેમના હિસાબની અને રોકડની તપાસ કરવા આવ્યા. તેમણે ચોપડો અને રોકડ બંને બરાબર બતાવી દીધાં પણ શેઠને કહી દીધું કે હવે તમને મારામાં વિશ્વાસ રહ્યો નથી, તેથી હું નોકરી કરી શકું નહીં. ઘણી સમજાવટ છતાં તેમણે નોકરી પાછી સ્વીકારી નહીં, માત્ર “જૈન મિત્ર'નું કામકાજ ચાલુ રાખ્યું. મુંબઈના રહેઠાણ દરમિયાન શ્રી પન્નાલાલજી બાકલીવાલ નામના એક મહાન સાહિત્યપ્રેમીનો તેમને પરિચય થયો. બાકલીવાલજીએ આજીવન નૈષ્ઠિક બ્રહ્મચર્ય ગ્રહણ કરીને સેવાવ્રત સ્વીકાર્યું હતું. તેઓ અહીંના સમાજમાં “ગુરુજી'ના નામથી ઓળખાતા. ભારતના તે સમયના ઉત્તમ જૈન વિદ્વાનોમાં તેમની ગણતરી થતી. તેમનાં ચરિત્ર, નિ:સ્પૃહતા અને સેવા–સમર્પણના ભાવની પ્રેમીજી ઉપર અમીટ છાપ પડી. તેમની પાસેથી પ્રેમીજી બંગાળી ભાષા શીખ્યા. પન્નાલાલજી પણ આ યુવાનની યોગ્યતા અને કાર્યદક્ષતાથી પ્રભાવિત થયા. તેમણે પ્રેમીજીને “જેન–હિતૈષી”, “જેન-ગ્રંથ-રત્નાકર” તેમજ પોતાની માલિકીના કાર્યાલયનું કામકાજ અને તેની બધી જવાબદારી ધીમે ધીમે સંપૂર્ણપણે સોંપી દીધી. જેન-હિતેષી તથા નવા નવા ગ્રંથોના સંશોધન, સંપાદન અને પ્રકાશનના કામમાં પ્રેમીજીને પ્રારંભમાં શ્રી બાલીવાલના ભત્રીજા છગનમલજીનો ઘણો સહયોગ અને સહકાર પ્રાપ્ત થયો. પ્રેમીજીના સંપાદકકાળમાં જેન-હિતેવીએ અખિલ ભારતીય સ્તરના એક ઉત્તમ પત્ર તરીકેની પ્રતિભા ઉપસાવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001288
Book TitleArvachin Jain Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1988
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy