SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ બોધસાર ૪૭ ત્યારથી પ્રભાત એમ રૂડા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવો એ જ અનંત ભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે. ઘર્મરૂપી કળાની આરાધનાથી મોક્ષરૂપી ફળને પ્રાપ્ત થાય છે. મોક્ષરૂપી ફળને પ્રાપ્ત થવાની યોગ્યતા યથાર્થ ધર્મની આરાધના કરવાથી મળે છે. આમ ધર્મ અને મોક્ષરૂપી પુરુષાર્થ એકબીજાની અપેક્ષા સહિત અને અન્યોન્યાશ્રય સંબંધવાળા છે. તે બંનેના મુખ્ય મુખ્ય આઠ પ્રકાર આ પ્રમાણે છે :ધર્મકળાની આરાધના મોકળાની આરાધના (૧) પરોપકાર આત્મજ્ઞાન (૨) કરુણા અનાસક્તિ (૩) ક્ષમા જડ-ચેતન-વિવેક (૪) દાન વિશ્વબંધુતા (૫) વિવેકપણું સત્યવાદીપણું (૬) સમતા જિતેન્દ્રિયતા (૭) સત્યનિષ્ઠા મનોનિગ્રહ (૮) ઉદારતા આત્માનુભવનો અભ્યાસ જે સાધક એકાંતવાસ ગ્રહણ કરીને સન્શાસ્ત્રોનો સાર અંતરમાં ધારણ કરીને, ચિત્તને શાંત કરીને, ઈન્દ્રિયો અને ઇચ્છાઓને બાહ્ય પદાર્થોમાં જતી રોકીને, જ્ઞાનાનંદસ્વરૂપ એવા પરમાત્માનું હૃદયમાં ધ્યાન કરે છે તેને થોડા કાળમાં જ મુક્તિપદની પ્રાપ્તિ થઈ જાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001287
Book TitleBodhsar
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1994
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy