SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ બોધસાર સુધી તેઓ કેવી રીતે પહોંચી શકે ? આમ, પક્ષપાતરહિત થઈને પોતાના જીવનમાં વિનય, ક્ષમા, સંતોષ આદિ ગુણો જેના વડે વિકાસ પામે અને ક્રોધ, લોભ, અભિમાન આદિ વિકારો ખરેખર વિલય પામે એવા ધર્મ પ્રત્યે જ્યાં સુધી સાધક વળે નહિ, અથવા તેવો પ્રયત્ન આદરે નહિ, ત્યાં સુધી તેની ધર્મ અંગેની કોઈ પણ માન્યતા યથાર્થ ગણી શકાય નહિ, કારણ કે : ૫૧ “સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ.’’ એવું મહાજ્ઞાની પુરુષોનું વચન છે. પ્રશ્ન ૫ : તો શું સદ્ગુણો જીવનમાં પ્રગટ કરવા તે જ સાચો ધર્મ છે ? ઉત્તર ૫ : સદ્ગુણો પ્રગટ કરવાથી પરમાર્થધર્મ પ્રાપ્ત કરવાની યોગ્યતા પ્રગટ થાય છે. માત્ર સદ્ગુણો જ પ્રગટ કરે પણ તે સર્વ સદ્ગુણોનો મૂળ આધાર એવો જે પોતાનો શુદ્ધાત્મા તેને પ્રતીતિમાં, જ્ઞાનમાં અને અનુભવમાં ન ગ્રહણ કરે તો તે સાધકને સદ્ગુણ સંપન્નતાની ભૂમિકા દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય પરમાર્થધર્મની પ્રાપ્તિ થાય નહિ. માટે ધર્મસાધના ભેદાભેદરૂપ જાણો. જ્યારે વિકલ્પવાળી અવસ્થા હોય ત્યારે સદ્ગુણોનું આલંબન લઈ અખંડ – અભેદ – એકાકાર ચૈતન્યનો લક્ષ કરવો. આમ કરવાથી ભેદોનો નાશ થઈ અભેદ દશા પ્રગટશે. પરંતુ અભેદ દશા તો થોડી સેકંડો જ ટકે છે તેથી તેમાંથી છૂટી જતાં યથાપદવી ભેદરૂપ સદ્ગુણોના સંરક્ષણ અને આલંબન દ્વારા પોતાની દશા ટકાવી રાખવી અને ફરીથી આત્મબળ વચ્ચે અભેદ દશા પ્રગટ કરવાનો ઉપર કહ્યો તેમ પુરુષાર્થ કરવો. આમ, સનાતન ધર્મની પ્રાપ્તિ તેવા પુરુષો જ કરી શકે છે જેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001287
Book TitleBodhsar
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1994
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy