________________
૨૭
બોધસાર
ક્ષણભર આ સંસારની માયા, તારી ભક્તિમાં ભૂલી ગયો તુજ મૂરતિમાં મસ્ત બનીને, આત્મિક આનંદ માણી રહ્યો.
ભવોભવ તુમ ચરણોની સેવા,
હું તો માંગુ છું દેવાધિદેવા. સામું જુઓને સેવક જાણી,
એવી ઉદય રતનની વાણી.
મ
શ્રવણ-કીર્તન-ચિંતવન, વંદન-સેવન-ધ્યાન, લઘુતા-સમતા-એકતા, નવધા-ભક્તિ પ્રમાણ.
જેણે રાગ-દ્વેષ સૌ જીતી, જગ આખાને જાણી લીધું, સર્વ જીવોને નિસ્પૃહ થઈને, મોક્ષમાર્ગનું દાન દીધું બુદ્ધ, વીર, જિન,હરિ, હર, બ્રહ્મા વા તેને સ્વાધીન કહો, ભક્તિભાવથી પ્રેરિત થઈ આ ચિત્ત સદા લીન તેમાં હો.
ત્રણ જગતના આધાર ને અવતાર હે કરુણા તણા, વળી વૈદ્ય હે દુર્વાર આ સંસારના દુઃખો તણા; વીતરાગ વલ્લભ-વિશ્વના તુજ પાસ અરજી ઉચ્ચરું, જાણો છતાં પણ કહી તને આ હૃદય હું ખાલી કરું.
હું ક્રોધ અગ્નિથી બળ્યો વળી લોભ સર્પ ડસ્યો મને, ગળ્યો માનરૂપી અજગરે હું કેમ કરી ધ્યાવું તને ? મન મારું માયાજાળમાં મોહન ! મહા મૂંઝાય છે, ચડી ચાર ચોરોના હાથમાં ચેતન ધણો ચગદાય છે.
Jain Education International
For Private & Personal Use Only.*.
www.jainelibrary.org