SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭ (४०) यस्तु नालम्बते श्रोतीं भावनां कल्पनाभयात् । सोऽवश्यं मुह्यति स्वस्मिन्पहिश्चिन्तां विभर्ति च । (४१) तस्मान्मोहप्रहाणाय बहिश्चिन्तां निवृत्तये । स्वात्मानं भावयेत्पूर्व ऐकाग्रस्य च सिद्धये ॥ જે સાધક કલ્પનાના ભયથી (નિર્વિકલ્પતાની સિદ્ધિ નહિ થાય તેવા ડરથી) તત્ત્વજ્ઞાનની ભાવના (અનુપ્રેક્ષા, ચિંતવન)નું અવલંબન નથી લેતો તે અવશ્ય પોતાના આત્મામાં મોહ પામે છે અને બાહ્ય ચિંતાઓ ધારણ કરે છે તેથી મોહનો નાશ કરવા માટે તથા બીજી ચિંતાઓને દૂર કરવા માટે અને એકાગ્રતાની સિદ્ધિ અર્થે સૌથી પહેલાં પોતાના આત્માને તત્ત્વભાવનાથી સંસ્કારિત કરવો જોઈએ. (४२) निर्व्यापारीकृताक्षस्य यत्क्षणं भाति पश्यतः । तद्रूपमात्मनो ज्ञेयं शुद्धं संवेदनात्मकम् ॥ ઇન્દ્રિયોના વ્યાપારને રોકીને ક્ષણભર અંતર્મુખ થઈ દેખનાર (અભ્યાસી)ને જે રૂપ દેખાય છે તે આત્માનું શુદ્ધ સ્વસંવેદનાત્મક સ્વરૂપ જાણવું. (૪૩) માત્માનમન્તો કૃ દૃષ્ટવા દેવિ વદિ | तयोः अन्तरविज्ञानात् अभ्यासात् अच्युतो भवेत् ॥ પોતાના સ્વરૂપને અંતરમાં દેખીને અને શરીરાદિને બાહ્ય દેખીને, તે બન્નેના ભેદવિજ્ઞાનથી અને તે (ભેદવિજ્ઞાન)ના અભ્યાસથી (સાધક જીવ) મુક્ત થાય છે. (૪૪) ફતવં ભાવશિત્વમ્ મવાવવાં ઇન્ ! स्वत एव तदाप्नोति यतो नावर्तते पुनः ॥ આવી રીતે, વાણીને અગોચર (એવા) આ (શુદ્ધાત્મા પરબ્રહ્મ) પદની નિરંતર ભાવના કરવી જેથી સ્વયં તેની પ્રાપ્તિ થાય છે અને (સંસારાવસ્થામાં) પુનરાગમન થતું નથી. ધ્યાનનું મુખ્ય ફળ : આત્માનુભવ : (ધ્યાનથી પ્રાપ્ત થવા યોગ્ય અન્ય પ્રાસંગિક ફળો) (४५) वस्तु विचारत ध्यावतें, मन पावत विश्राम । रसस्वादत सुख ऊपजे अनुभव याको नाम ॥ તત્ત્વના વિચારમાં ચિત્ત જોડવાના અભ્યાસથી (સ્થિરતા થતાં) મન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001284
Book TitleSadhna Sopan
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy