________________
પાંચમા અધ્યાય "આત્મવિચાર-આત્મસાક્ષાત્કાર”
(આત્મધ્યાન-આત્મસમાધિ)નું પરિશિષ્ટ
આત્મવિચારનું સ્વરૂપ અને માહાસ્ય : (૧) ચિત્તવિક્ષેત્યાનો આનન્ !
ચિત્તની ચંચળતાનો ત્યાગ કરવો તે ધ્યાન છે. (२) रागद्वेष-मिथ्यात्वासंश्लिष्टं अर्थयाथात्म्यस्पर्शि
प्रतिनिवृत्तविषयान्तरसंचारं ज्ञानं ध्यानम् ।
રાગ, દ્વેષ અને મિથ્યાત્વથી રહિત, પદાર્થોના વાસ્તવિક સ્વરૂપને સ્પર્શ કરતું અને અન્ય વિષયોમાંથી જેનું પરિભ્રમણ દૂર થયું છે તેવું જ્ઞાન તે ધ્યાન
(३) समता सर्वभूतेषु संयमः शुभभावना ।
आर्तरौद्रपरित्यागः तद् हि सामायिकं व्रतं ॥ સર્વ જીવોમાં સમતાભાવ, ઇન્દ્રિય અને મનનો સંયમ, કુષ્માનનો ત્યાગ અને તત્ત્વની ભાવના ભાવવી તે (આદિ આચરણ) સમતારૂપી વ્રત
કહેવાય છે. (૪) (બ) પ્રગટે જ્યાં સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન,
જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. (4) શુદ્ધ, બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ,
બીજું કહિયે કેટલું, કર વિચાર તો પામ. (૪) પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાનવિચાર,
અનુભવી ગુરુને સેવીએ, બુધજનનો નિર્ધાર. () જ્ઞાન, ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર,
એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવપાર. (૩) હું કોણ છું? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરિહરું ? એના વિચાર વિવેકપૂર્વક, શાંતભાવે જો કર્યા, તો સર્વ આત્મિકજ્ઞાનના, સિદ્ધાંત તત્ત્વો અનુભવ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org