SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ અને જેઓને સાંજનો આહાર ન લેવો હોય તે પંદરેક મિનિટનો વિરામ રાખી હાથ-મોં ધોઈ ફરીથી પોતાની સાધનામાં લાગી જાય. – ભક્તિ, જાપ અથવા તત્ત્વચર્ચા. ઘણી વાર આ સમય દરમિયાન જમ્યા પછી અર્થો કે પોણો કલાક સુધી થોડો ફરવા જવાનો નિયમ રાખવાથી શારીરિક અને માનસિક સ્કૂર્તિનો અનુભવ થશે અને થાક ઊતરી જશે. લગભગ હવે સાંજના ૭-૦૦ વાગ્યાના સમયે, જો અધિષ્ઠાતા મહાત્મા અથવા આગંતુક મહાત્માને તત્ત્વજ્ઞાન-પ્રશ્નોત્તરી માટે બોલાવી શકાય તેમ હોય તો તેમ કરવાથી ઘણો ફાયદો થશે. એક તો આખા દિવસનાં પ્રવચનોમાં જો કાંઈ સમજમાં ન આવ્યું હોય તો તે પૂછી શકાય અથવા બીજા પણ આત્મકલ્યાણમાં ઉપયોગી પ્રશ્ન પૂછી શકાય. સંતોના સાન્નિધ્યનો એવો અલૌકિક પ્રતાપ છે કે તેમની હાજરીનો લાભ મળતાં જ અમુક સમાધાન થઈ જાય છે. જે સિદ્ધાંત કે કોયડો દસ વાર વાંચવા છતાં સમજાતો નથી તે વગર સમજાવ્ય અથવા દસેક મિનિટના તેમના ઉપદેશનો લાભ મળે સમજાઈ જાય છે. અને તેમનાં દર્શન, તેમની શાંત મુદ્રા, તેમનું આત્મામય વલણ, તેમની પરમ-શીતળ, પરમ-પ્રેરક, પરમ-ઉદાત્ત અને સ્વાનુભવમુદ્રિત આત્માર્થબોધક વાણીનો લાભ મળતાં મુમુક્ષુજન અધ્યાત્મવિકાસને પંથે સારી એવી મજલ કાપી નાખે છે. આવો અગમ્ય, અપૂર્વ અને માનવજીવનને સફળ કરનારો સત્સંગનો યોગ છે !!! આ પ્રમાણે રાત્રિના લગભગ ૮-૦૦ વાગ્યા પછી દૈનિક સાધનાનો છેલ્લો તબક્કો શરૂ થાય છે, જેમાં ફરીથી સામૂહિક સ્વરૂપે વા વ્યક્તિગતરૂપે ભક્તિ, સ્વાધ્યાય, કીર્તન કે જાપમાં જોડાવાનું હોય છે. આગળ વધેલા સાધકો આ સમય દરમિયાન થોડી મિનિટ એકાંત સ્વાધ્યાયમાં બેસીને (જ દરમિયાન ચિત્તને ધ્યાનમાં બેસવા યોગ્ય બનાવવાનું હોય છે.) પછી ધ્યાનમાં બેસવાનું પસંદ કરે છે. લગભગ રાત્રે ૧૦-૦૦ વાગ્યે પ્રભુસ્મરણ સહિત સૂવું યોગ્ય સત્સંગ-આરાધનાના સમયની વિશેષચર્યાનું વર્ણન આગળ કહ્યા પ્રમાણે જ્યારે સત્સંગ-આરાધના ચાલતી હોય ત્યારે અમુક ખાસ આચારસંહિતા પાળવાથી સત્સંગ ઘણો વિશેષ ફળદાયી નીવડશે. આ ચર્યા દરેક સાધકને માટે એકસરખી નથી પરંતુ મધ્યમ કક્ષાના સાધકને ધ્યાનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001284
Book TitleSadhna Sopan
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy