SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વચ્છંદનિરોધ (૨) જ્યાં જેટલો સ્વચ્છંદ દબાયો છે ત્યાં તેટલી બોધબીજ યોગ્ય ભૂમિકા ઉત્પન્ન હોય છે. (૩) પાંચ ઇન્દ્રિયો અને મનના નિરંકુશ છંદે ચાલવાથી આ લોકમાં રોગ, નિર્ધનતા તથા અપકીર્તિ અને આગામી કાળમાં નીચ ગતિનાં દુઃખો સહન કરવાં પડે છે. (૪) જેમ જેમ સદ્ગુરુનાં વચનો પ્રમાણે ચાલે તેમ તેમ પાત્રતા વધે અને જીવ ક્રમે કરીને મોક્ષમાર્ગમાં સુસ્થિત થઈ જાય. (૫) ખોટી ટેવો છોડી દેવી, ખોટી વાતોમાં રસ ન લેવો, ખોટાં કાર્યો દૃઢતાપૂર્વક ત્યજી દેવાં અને પોતાના જીવનને અનેક સાત્ત્વિક અને શુદ્ધ ભાવોવાળું બને તેવાં કાર્યોમાં લગાવી દેવું તે સ્વચ્છંદ ટાળવાનો વ્યાવહારિક ઉપાય છે, જે વડે જીવન પવિત્ર અને ઉન્નત બની જાય છે. (૬) ભવભયરહિતપણે, જ્ઞાની પુરુષોની આજ્ઞા પર પગ મૂકીને નિર્ધ્વસ (તીવ્ર વિકારયુક્ત) પરિણામ સહિત જે વર્તે તે સ્વચ્છંદી બને છે. જ્ઞાનીની પ્રત્યેક આજ્ઞા કલ્યાણકારી છે. માટે તેમાં ન્યૂનાધિક કે મોટા નાનાની કલ્પના કરવી નહિ, તેમ જ તે વાતનો આગ્રહ કરી ઝઘડો કરવો નહિ. જ્ઞાની કહે તે જ કલ્યાણનો હેતુ છે એમ સમજાય તો સ્વચ્છંદ મટે. જો સ્વચ્છંદ મટે તો જીવનું કલ્યાણ થાય. ૧ * * * સ્વચ્છંદનિરોધનાં જીવંત દૃષ્ટાંતો [૧] શ્રીમદ્ રાજચન્દ્રજીએ પોતે લખેલી આત્યંતર નોંધપોથીમાંથી અમુક ઉપયોગી ઉતારો કરવા શ્રી લલ્લુજીને* તે નોંધપોથી આપી હતી. શ્રી લલ્લુજીએ કહ્યા ઉપરાંતનો અમુક ભાગ ઉપયોગી લાગવાથી તેમાંથી ઉતારી લીધેલો અને સવારે દર્શનાર્થે જઈશું ત્યારે આજ્ઞા મેળવી લઈશું એમ વિચારેલું, કારણ કે પોતે મુનિચર્યા પાળતા હતા તેથી રાત્રે બહાર જઈ શકાય તેમ નહોતું. Jain Education International બીજે દિવસે શ્રી લલ્લુજીએ નોંધ કરેલાં બધાં પાનાં શ્રીમદ્ભુ પાસે મૂકીને કહ્યું : રાત પડી ગઈ હતી તેથી આજ્ઞા લેવા આવી શકાયું નહિ. આજ્ઞા ઉપરાંતનાં પણ આ થોડાં પાનાંનો નોંધપોથીમાંથી ઉતારો કરી લીધો છે.' આ સાંભળી શ્રીમદ્ભુજીએ નોંધપોથી અને ઉતારો કરેલાં બધાં પાનાં શ્રીમદ્ રાજચન્દ્રના મુખ્ય સાધુ-શિષ્ય. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy