SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પક સાધક-સાથી થયો નહિ. કેટલાક વિશેષજ્ઞોની સલાહથી, મહારાજા શ્રી જયચંદજી પાસે આવ્યા અને રાજયની આબરૂ બચાવવા વિનંતી કરી. જયચંદજીએ રાજ્ય ખાતર પોતાના સુપુત્ર નંદલાલને શાસ્ત્રાર્થ માટે મોકલી આપ્યો. - પંડિતપુત્ર શ્રી નંદલાલે દિગ્વિજયી પંડિતને સહેલાઈથી હરાવી દીધો એટલે રાજાએ પિતા-પુત્રની પંડિતજોડીને મોટું માનપત્ર આપવાનું આયોજન કર્યું. આ વાત જ્યારે શ્રી જયચંદજીના કાને પહોંચી ત્યારે તેમણે રાજાને કહ્યું : “મહારાજ ! હું વાદવિવાદમાં માનતો જ નથી. આ તો માત્ર રાજ્યનું નાક રહે તે અર્થે મેં શાસ્ત્રાર્થની વ્યવસ્થા કરી. મારે તો કોઈ માનપત્ર ન ખપે. જો તમે ખરેખર સંતુષ્ટ થયા હો તો મને રાજ્યકાર્યમાંથી બે કલાક વહેલા છૂટવાની રજા આપો, જેથી આત્મસાધના અને સન્શાસ્ત્રના અધ્યયનમાં હું વધુ સમય આપી મારા જીવનને કૃતાર્થ બનાવી શકું.” કેવા સાચા પંડિત ! આવી નિઃસ્પૃહતા અને સ્વાધ્યાયનિષ્ઠા તે મહાપુરુષની અતિ ઉચ્ચ અધ્યાત્મદશાનું સૂચન કરે છે ! ધન્ય આત્મજ્ઞવિદ્વજ્જનવલ્લભ શ્રી જયચંદજી છાવડા ! [] અઢારમી સદીનો સમય હતો. બંગાળમાં પંડિત શ્રી રામનાથ તકસિદ્ધાંતીએ પોતાનું ભણતર પૂરું કરીને બંગાળના વિદ્યાધામ નવદ્વીપ નગરની બહાર પોતાનું નાનું ઘર બનાવી ત્યાં નિવાસ કર્યો હતો. તેઓ ત્યાં વિવિધ ભારતીય દર્શનો અને ધર્મશાસ્ત્રોનો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા. તેઓ રાજ્ય તરફથી કોઈ મદદ પોતાની પ્રવૃત્તિ માટે લેતા નહિ. એક દિવસ તેમની ધર્મપત્નીએ કહ્યું કે, “આજે રોટલી માટે બિલકુલ લોટ નથી.' ત્યારે તેઓએ કહ્યું. “જે હોય તે બનાવશો.’ તે દિવસે તેમણે થોડા ભાત અને ઉકાળેલાં આંબલીનાં પત્તાંનું ભોજન કર્યું અને પત્નીને કહ્યું કે, તેં ઘણું જ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું છે.” તે સમયે કષ્ણનગરમાં મહારાજા શિવચન્દ્રનું રાજ્ય હતું. તેઓએ આ મહાપંડિતની વિદ્વત્તા અને આર્થિક સ્થિતિ વિશે લોકો પાસેથી સાંભળ્યું અને ઘણી વાર તેઓને રાજમહેલમાં આવવાનું નિમંત્રણ આપ્યું, પણ પંડિતજી ન ગયા તે ન જ ગયો. આખરે એક દિવસ રાજા પોતે પંડિતજીને ઘરે આવ્યા અને તેમને પૂછ્યું : પંડિતજી, આપને કોઈ પ્રકારની તકલીફ કે અગવડ તો નથી ? ઘરનિર્વાહ તો સારી રીતે ચાલે છે ને ?” પંડિતજીએ કહ્યું : “ઘરની વાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy