SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯ આત્મસ્વરૂપ પ્રશ્ન : આ “આત્મા’ ‘આત્મા’ એમ સૌ બોલે છે, કહે છે, ભજે છે તે આત્મા ખરેખર શું છે? ઉત્તર ૧: આ શરીરમાં રહેલી જાણવા-દેખવાની મુખ્ય શક્તિવાળી જે વસ્તુ છે તે આત્મા છે. પોતાને અને બીજાને જાણવા-દેખવા ઉપરાંત શ્રદ્ધવાની, સ્થિર થવાની, અતીન્દ્રિય આનંદરૂપ થવાની, વિચાર-વિવેકની, બળ પ્રેરવાની (વીર્યશક્તિ)આદિ અનેક શક્તિઓ પણ આત્મામાં છે.* પ્રશ્ન ૨ ઃ આ શક્તિઓ શરીરની જ છે. આત્માની નથી એમ માનીએ તો શું વાંધો ? શરીરથી જુદો આત્મા છે તે કેવી રીતે નક્કી કરી શકાય ? ઉત્તર ૨: (અ) મૃત્યુ થતાં જ્યારે શરીર એમનું એમ રહે છે અને આત્મા ચાલ્યો જાય છે ત્યારે તે જાણી-દેખી શકતું નથી કે સુખદુઃખ અનુભવી શકતું નથી માટે તે જાણવા-દેખવાની ક્રિયા (જે જીવન દરમિયાન થતી હતી તે શરીરમાં રહેલા આત્માની હતી એમ પ્રત્યક્ષ પ્રમાણથી નક્કી થઈ શકે છે. તે (બ) દરેક ઇન્દ્રિય માત્ર પોતાના વિષયને જ જાણે છે - બીજી ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન કરવાને તે અસમર્થ છે. બધા વિષયોને જાણવાની - એટલે ઇન્દ્રિયજ્ઞાનને સુસંબદ્ધ અને વ્યવસ્થિત કરવાવાળી શરીરમાં રહેલી જે કેન્દ્રિય શક્તિનો ધરનાર (Abode of intellect, judgement, memory and discrimination) જે છે, તે આત્મા છે એમ જાણીએ છીએ. (ક) ઘણી વાર એવું જોવામાં આવે છે કે દૂબળો શરીરવાળો ઘણી જ્ઞાનશક્તિ ધરાવે છે અને જાડા શરીરવાળો માત્ર અલ્પ જ * ‘સમયસાર'ની આત્મખ્યાતિ ટીકાના સવિશુદ્ધજ્ઞાન અધિકારમાં આત્માની મુખ્ય ૪૭ શક્તિઓનું વર્ણન છે તે અભ્યાસીઓએ અવલોકવું. www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy