SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેક ઉત્તર ઃ ૫ સાધનામાં પૂર્ણ સમતા પ્રગટ થતાં સુધી વિવેકની જરૂર છે. આત્મજ્ઞાન પહેલાં તેમ જ આત્મજ્ઞાન પછી પણ નિરંતર વિવેકપૂર્વક જ વર્તવું યોગ્ય છે. જ્ઞાનીને જે વિવેક પ્રગટ થઈ ચૂક્યો છે તે દ્વારા બાકી રહેલા બંધનને તોડવા માટે જ્ઞાની મહાન વિવેકથી અને મહાન ઉદ્યમથી વર્તે છે અને તેના ફળ રૂપે જ તે મમતાનો મૂળથી ઉચ્છેદ કરી પૂર્ણપદને પ્રાપ્ત કરે છે. જીવનમાં હરઘડી જે જાગ્રતપણે ન વર્તતો હોય તે પુરુષ ઉત્તમ મુમુક્ષુ પણ નથી તો તે જ્ઞાની કેવી રીતે હોઈ શકે ? શાસ્ત્રકાર ભગવંતોએ તો જ્ઞાનીને નિરંતર જ્ઞાન વૈરાગ્યની શક્તિ દ્વારા રાગના સર્વ યોગોનો સંક્ષેપ કરી એક શુદ્ધ – સચ્ચિદાનંદસ્વરૂપ આત્મામાં જ સંતુષ્ટ રહેવાની લીન રહેવાની અને તેમાં જ તન્મય થઈ જવાની આજ્ઞા કરી છે. ૨૮૭ જે આત્મજાગૃતિરૂપ વિવેકને ચૂકે છે તે સાધનામાર્ગથી ભ્રષ્ટ થઈ સંસારપરિભ્રમણને પ્રાપ્ત થાય છે પછી ભલે તે જ્ઞાની હોય કે અજ્ઞાની. આવો પરમ ઉત્કૃષ્ટ, અચિંત્ય માહાત્મ્યવાળો, પૂર્ણપદની પ્રાપ્તિ કરાવનારો શ્રીસદ્ગુરુઓનો બોધ આ કાળે વિરલ પુરુષો ધારણ કરે છે અને જે ધારણ કરે છે તેને નમસ્કાર કરીએ છીએ. પ્રશ્ન : ફ વિવેકનો મહિમા શાસ્ત્રોના આધારે બતાવો. ઉત્તર ઃ ૬ (૧) ગ્રહણ કરવા યોગ્ય અને છોડવા યોગ્ય તત્ત્વોનું જ્ઞાન (વિવેક) ન થયું તો શાસ્ત્ર-અભ્યાસનો શ્રમ નિષ્ફળ ગયેલો જાણવો. (૨) આહાર, નિદ્રા, ભય અને મૈથુન આ ચાર તો પશુઓ અને મનુષ્યો બન્નેમાં સામાન્ય છે. એક વિવેકજ્ઞાન જ એવું છે કે જેનાથી મનુષ્યની અન્ય પશુઓ કરતાં અધિકતા બની શકે છે. -- Jain Education International (૩) સંસારનાં સુખો અનંતીવાર આત્માએ ભોગવ્યા છતાં તેમાંથી હજુ પણ મોહિની ટળી નહિ અને તેને અમૃત જેવો ગણ્યો એ અવિવેક છે; કારણ સંસાર કડવો છે, કડવા વિપાકને આપે છે, તેમ જ વૈરાગ્ય એ કડવા વિપાકનું ઔષધ છે તેને કડવો ગણ્યો આ પણ અવિવેક છે. જ્ઞાન, દર્શનાદિ (આત્મિક) ગુણો અજ્ઞાન, આદર્શને ઘેરી લઈ મિશ્રતા કરી નાખી છે તે ઓળખી ભાવઅમૃતમાં આવવું, એનું નામ વિવેક છે. (૪) જે વિવેકી નથી તે અજ્ઞાની અને મંદ છે. તે જ પુરુષ, મતભેદ અને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy