SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યભવ પ્રશ્ન : ૧ મનુષ્યભવ એટલે શું ? ઉત્તર : ૧ મનુષ્યના આકારવાળા આ શરીરમાં જેટલો સમય રહેવાનો આપણને પરવાનો મળ્યો છે તે આપણો વર્તમાન મનુષ્યભવ છે. પ્રશ્ન : ૨ મનુષ્યભવ કેવી રીતે મળે છે ? ઉત્તર : ૨ અનેક પ્રકારની યોનિઓમાં ભટકતો ભટકતો આતમાં મહાપુણ્યના યોગે મનુષ્યભવને પ્રાપ્ત કરી શકે છે. આથી જ જ્ઞાનીપુરુષોએ મનુષ્યભવનું દુર્લભપણું અને મહત્ત્વ સમજાવ્યું છે. જેમ કે “બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો.” પ્રશ્નઃ ૩ શું મનુષ્યભવ બધાનો એકસરખો છે ? ઉત્તરઃ ૩ ના. જે સાચા મનુષ્યપણાને સમજે તે સાચો મનુષ્ય થઈ શકે. આવી સમજણ સામાન્ય લોકોમાં ભાગ્યે જ જોવામાં આવે છે. તેથી માણસ ઘણુંખરું પોતાના સંજોગો પ્રમાણે પોતાને જુદા જુદા રૂપે માનવા લાગે છે, એટલે કે પોતાને સ્ત્રી, પુરુષ, યુવાન, વૃદ્ધ, બાળક, ડૉક્ટર, વકીલ, વેપારી, ઉદ્યોગપતિ, ઇજનેર, કાળો, ગોરો, ગરીબ, ધનવાન, ખેડૂત, સુથાર, લુહાર વગેરે રૂપે માને છે. પ્રશ્નઃ ૪ તો સાચું મનુષ્યપણું કોને પ્રાપ્ત થાય છે? ઉત્તર : ૪ જેના વડે સાચું મનુષ્યપણું પ્રાપ્ત થાય છે તે તો વિવેક છે. વિવેક વડે પોતે મનુષ્ય શરીરમાં રહેલો એક અવિનાશી, ચૈતન્યસ્વરૂપ જ્ઞાતા-દ્રષ્ટારૂપે રહેવાના સ્વભાવવાળો પદાર્થ છે એમ જાણી તે મૂળ પદાર્થના વિકાસ અર્થે પ્રયત્ન કરે તો તેવા જીવને સાચું મનુષ્યપણું પ્રાપ્ત થાય. પ્રશ્ન : ૫ મનુષ્યપણાનું સાચું ફળ શું છે ? ઉત્તરઃ પ ફરીથી કોઈ દેહ ધારણ જ ન કરવો પડે એટલે કે જન્મ-જરા-મરણ, તથા આધિ-વ્યાધિ-ઉપાધિનો સંબંધ જ ન થાય એવી અદ્ભુત સહજ આનંદની દશા વિવેક-વૈરાગ્યની યથાર્થ સાધના વડે પ્રગટ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy