SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ સાધક-સાથી, સાચા આનંદની પ્રાપ્તિથી વંચિત રહી જાય છે. આવા મનુષ્યો દ્વારા સંતજનોની થતી ઉપેક્ષા કોઈક વાર અણગમાનું રૂપ પણ ધારણ કરે છે અને તેથી સંતજનો પ્રત્યે તુચ્છપણાનો, અપમાનનો, તિરસ્કારનો કે વિરોધનો પણ સૂર જાગે છે. આવા સમયે સમભાવ રાખવો, વિરોધીઓ પ્રત્યે પણ કોમળ ભાવ રાખવો, તેમનું બૂરું ન ઈચ્છવું પણ રૂડું જ ઇચ્છવું અને આત્મસાધનાના માર્ગમાં ટકી રહેવું તે માધ્યસ્થ-ભાવનાનું સ્વરૂપ છે. મતમતાંતરોમાં માધ્યસ્થતા વર્તમાન કાળમાં વિવિધ ધર્માવલંબી મનુષ્યો જોવામાં આવે છે. વળી કહેવાતા એક ધર્મમાં પણ અનેક મતભેદ અને પેટભેદ જોવામાં આવે છે. હવે સાચો ધર્મ તો આત્મશુદ્ધિની સાધના છે, તો આપણે મુમુક્ષુઓએ તો તે જ આત્માના શુદ્ધીકરણના પ્રયોગરૂપ ધર્મને આદરવાનો છે. આમ કરતી વખતે બીજાઓના અભિપ્રાય, માન્યતા, રીતરિવાજ કે સાધનાપદ્ધતિ આપણાથી જુદા હોય તો પણ તેમની સાથે વ્યર્થ વાદવિવાદ કે ઝઘડામાં પડ્યા વિના શાંત ચિત્તથી જેમ વીતરાગભાવની વૃદ્ધિ થાય અને તે સાધવાનાં ઉત્તમ બાહ્યાંતર સાધનોનું યથાપદવી અવલંબન લેવાય તે પ્રકાર ભજવાનો છે, પણ હું એક જ પૂર્ણજ્ઞાની કે પૂર્ણ સત્યવાદી છું. તમે બધા અજ્ઞાની- મિથ્યાદૃષ્ટિ છો? આવો કટુભાવ અંતરમાં લાવવાનો નથી. વિશાળ દૃષ્ટિ વડે જેમ સમ્યગુયોગની આરાધનામાં આપણે લાગી જઈએ અને આપણી ઉદાર દૃષ્ટિમાં જીવમાત્ર સમાઈ શકે એવો ઉત્તમ જીવનવ્યવહાર આદરીએ એ જ આપણી સાચી માધ્યસ્થ-ભાવનાનું જીવતું જાગતું પ્રતીક છે અને તેવી ઉદારવૃત્તિની સિદ્ધિમાં જ આપણી કસોટી છે. માધ્યસ્થ ભાવનાનાં જીવંત દૃષ્ટાંતો કચ્છના પ્રસિદ્ધ સંત શ્રી વિજયકનકસૂરિ મહારાજનો અમદાવાદમાં ચાતુર્માસ હતો. તેઓશ્રીનો મુકામ શાહીબાગમાં જમનાભાઈ ભગુભાઈના બંગલામાં હતો. કોઈ બીજા કચ્છના સાધુ તેમને વંદન કરવા આવ્યા હતા. વાતચીત દરમિયાન તે સાધુએ મહારાજશ્રીને કોઈની નિંદાની વાત કરી. આ સાંભળી મહારાજશ્રી તો મૌન રહ્યા. આથી આગંતુક સાધુ ક્રોધે ભરાયા અને મહારાજશ્રીનો ખૂબ જ અવિનય કર્યો. સભામાં બેઠેલા સૌ શ્રોતાજનો સાધુને ઠપકો આપવા તૈયાર થયા પણ મહારાજશ્રીએ તેમને રોક્યા ને કહ્યું : એમ તો દુનિયામાં બન્યા જ કરે.” મહારાજશ્રીનું આવું ઉદાર અને વાત્સલ્યપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy