SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ સાધક-સાથી માર્યો છે તે સંસારસમુદ્રને નિર્વિઘ્નપણે તરી જાય છે. (૧૨) વૈરાગ્યનું ફળ બોધ છે, બોધનું ફળ ઉપશમ છે અને ઉપશમનું ફળ પોતાના આત્માના આનંદના અનુભવથી ઊપજતી શાંતિ છે. (૧૩) ઊંચ-નીચ અવતારમેં; વિષય કોટિ વિધ કિન્ડ, કહે પ્રીતમ વૈરાગ્યવિણ રહા દીનકા દીન. સુખ નહિ સંસારમાં; રાજા, પ્રજા ને રેક, કહે પ્રીતમ વૈરાગ્યવિણ, નર નહિ હોય નિઃશંક. (૧૪) સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનરૂપ આ સંસારને વિશે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. (૧૫) વિષયત્યાગ વૈરાગ્ય છે; સમતા કહિયે જ્ઞાન, સુખદાઈ સૌ જીવને એવી જ ભક્તિ પ્રમાણ. વૈરાગ્યનાં જીવંત દૃષ્ટાંતો [૧] લગભગ સિત્તેર વર્ષ પહેલાંની આ વાત. અંગ્રેજોના રાજ્યમાં કેળવણી ખાતામાં એક ભાઈ શિક્ષક તરીકે મુંબઈ મુકામે નોકરી કરતા હતા. બદલીના નિયમો મુજબ પાલનપુર રાજ્યના ડીસા મુકામે તેમની બદલી થઈ. તે પ્રદેશની તદ્દન સૂકી આબોહવા તેમને માફક ન આવી. ધીમે ધીમે તેમની તબિયત વધારે બગડી. તેમણે તે વખતના રાજ્યના મોટા અંગ્રેજ ડૉક્ટરને તબિયત બતાવી. અન્ય ઉપચાર સાથે જો તેઓ લિવરનો સૂપ લે તો જ તેમની તબિયત સુધરે એવી સલાહ ડૉક્ટરે આપી. “સાહેબ, મારા દયાધર્મને છોડીને હું તેમ કરવા તૈયાર નથી. જો રોગ મટવો હોય તો મટે અને ન મટે તો ભલે શરીર પડી જાય.” સાહેબ ખિજાઈને બોલ્યા : મારા કહ્યા મુજબ ન વ તો હું સારવાર નહિ કરું. . શિક્ષક : સાહેબ, જેવી આપની મરજી, પણ મારા રોગનું સર્ટિફિકેટ તો આપશો ને ? ડૉક્ટર ઃ મારી સારવાર ન કરો તો મારું સર્ટિફિકેટ પણ નહિ મળે. શિક્ષકને તો સર્ટિફિકેટ વિના નોકરી છોડવાનો વારો આવ્યો પણ આ દૃઢનિશ્ચયી શિક્ષકે તે પણ સ્વીકારી લીધું. ભાગ્યવશાત્ તેમની તબિયત ધીમે ધીમે સુધરી ગઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy