SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મના નિયમો ભૂમિકા ભૌતિક વિજ્ઞાનમાં સામાન્યપણે જે સ્થાન ગુરુત્વાકર્ષણના નિયમનું છે તેથી પણ ઊંચું સ્થાન અધ્યાત્મવિજ્ઞાનમાં કર્મના નિયમનું છે. પોતે કરેલાં કર્મનું ફળ જીવને અવશ્ય મળે છે તે સિદ્ધાંત સર્વ આસ્તિક દર્શનકારોએ સ્વીકાર્યો છે અને ખરું જોતાં તો આ કમસિદ્ધાંત અધ્યાત્મમાર્ગની કરોડરજ્જુ સમાન જ છે. જે જે દેહધારી, જે જે કાર્ય બુદ્ધિપૂર્વક કરે છે તેમાં તેને પોતાનું ચિત્ત તો લગાવવું જ પડે છે. અને આમ જે જે વિચારબળથી પ્રેરાઈને તેણે કામ કર્યું હોય તે તે પ્રમાણે તે તે દેહધારીને કર્મોનું બંધન થાય છે અને તે કમનું ફળ પણ તે તે દેહધારીને યથાસમયે ભોગવવું જ પડે છે. આ વાતને શાસ્ત્રકારોએ અનેક પ્રકારે રજૂ કરી છે. જેમ કે : (૧) કરોડો સદીઓ જેટલા કલ્પો વીતી જાય તો પણ કરેલું કર્મ (સ્વયં) છૂટતું નથી. શુભ કે અશુભ જે કર્મ જીવે કર્યું હોય તે તેણે અવશ્ય ભોગવવું જ જોઈએ. (૨) રામ ઝરૂખે બૈઠકે, સબકા મુજરા લેત, જૈસી જિનકી ચાકરી, વૈસા ઉનકો દેત. આમ કમસિદ્ધાંતને લગતા નિયમો જો કે અનેક દર્શનકારોએ પ્રકાશ્યા છે પરંતુ તેનું અત્યંત સૂક્ષ્મ, અત્યંત વિસ્તૃત અને અત્યંત વૈજ્ઞાનિક નિરૂપણ અને વિશ્લેષણ વીતરાગદર્શનકારોએ કર્યું છે. તેનો માત્ર અલ્પ જ બોધ આ અલ્પજ્ઞને છે અને તેનું પણ અત્રે આલેખન કરવાથી વિસ્તારભય અને જટિલતાભયનો પ્રસંગ ઉત્પન્ન થવા યોગ્ય છે તેથી માત્ર અતિસંક્ષેપમાં તેનું વિહંગાવલોકન કરીએ છીએ. કર્મબંધનના નિયમો જીવને કર્મબંધન થવાનું મુખ્ય કારણ તેની પોતાની વિચારધારા (ઉપયોગદશા) છે. જે મનુષ્ય જેવા અભિપ્રાયથી જેવા ભાવ કરે તે જીવને તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy