SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ સંતોષ મહાન પુરુષોની પ્રથમ પંક્તિમાં ગણાય છે. પ્રારંભિક સાધનાના કાળમાં તેઓ બહુ જ કડક ચર્યા પાળતા અને વસ્ત્રમાં માત્ર એક જ કૌપીનથી લંગોટી જેવું વસ્ત્રો ચલાવી લેતા. એક દિવસ એક સદગૃહસ્થે આવીને કહ્યું : “મહારાજ ! આપની પાસે આ એક જ લંગોટી છે તેથી હું એક નવી લંગોટી લાવ્યો છું.” તરત જ દયાનંદજી બોલ્યા : “ભાઈ ! મને તો આ એક લંગોટી જ બોજારૂપ લાગે છે ત્યાં વળી તું મને વધારાની ઉપાધિ સોપવા ક્યાં આવ્યો છે ? તારી સદ્દભાવના માટે હું આભારી છું પણ હું તે સ્વીકારી શકતો નથી, જેવી લાવ્યો તેવી જ પાછી લઈ જા !” આવી હતી તપસ્વીની નિઃસ્પૃહતા અને સંતોષની ભાવના ! * * * શેખ સાદી ઈરાન દેશના એક મહાન ધર્મગુરુ હતા. એક વખત તેઓ બહુ જ ગરીબ દશામાં આવી પડ્યા અને પહેરવામાં પગરખાં લાવવા માટે પણ તેમની પાસે પૈસા ન રહ્યા. રસ્તે ચાલવામાં પગ બળતા અને કાંકરા પણ વાગતા, જેથી મનમાં મૂંઝવણ ઊભી થતી. આ સમય દરમિયાન તેઓ કૂફાની મસ્જિદમાં નમાજ પઢવા ગયા. ત્યાં મસ્જિદના દ્વાર પાસે જે એક માણસ બેઠો હતો જેના બંને પગ કપાઈ ગયા હતા. એની એ અપંગ અને અસહાય દશાનો વિચાર કરતાં જ શેખ સાદીની આંખો ઊઘડી ગઈ અને તેઓએ ઈશ્વરને ધન્યવાદ આપ્યો કે : હે ખુદા ! તારો કેટલો બધો ઉપકાર છે કે તે મારા બે પગ તો સલામત રાખ્યા છે !” સાંસારિક દુઃખની સ્થિતિમાં આપણાથી વધારે દુઃખી માણસની સ્થિતિનો વિચાર કરવાથી દુઃખ ઘટે છે અને સંજોગો અનુસાર સહજપણે થયેલી પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ રહી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy