SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ ફરસી લે, પછી શૈક્રિય શરીરનાં સર્વ પુદગળે અનુક્રમે ફરસે તે પછી તે જ પ્રમાણે તેજસ શરીરનાં એમ કામણ શરીરનાં એમ મનગનાં, વચનગનાં અને શ્વાસોચ્છવાસનાં સર્વ પુદગળે અનુક્રમે ફરસે. ઔદારિક શરીરનાં પુદગળ અનુકમે ફરસતાં ફરસતાં હજી પૂરેપૂરાં ફરસી લીધાં નથી તેવામાં જે શૈક્રિયાદિકનાં પુદગળે ફરસવામાં આવે તે ઓદારિક શરીરનાં જે પુદગળ પ્રથમ ફરસી લીધાં હતાં તે ગણતરીમાં ન લેતાં ફરી પહેલેથી ઔદારિક શરીરનાં પુદગળ ફરસવા માંડે એમ શરૂથી તે છેવટ સુધી દારિક શરીરનાં જ તમામ પુદગળે અનુકમે ફરસી લે તે તે ગણતરીમાં લેવાય. એ રીતે સાતમાંના દરેકના પુદગળ અનુક્રમે ફરસી પૂરા કરે તે તેને “દ્રવ્યથી સૂક્ષમ પુદગળ પરાવર્તન કહે છે. (૩) “ક્ષેત્રથી બાદર પુદગળ પરાવર્તન –મેરૂ પર્વતથી આરંભ કરીને સર્વે દિશાઓ અને વિદિશાઓમાં આકાશ પ્રદેશની અસંખ્યાતી શ્રેણિઓ ઠેઠ અલોક લગી ગોઠવાણી છે. એ તમામ આકાશ પ્રદેશને જન્મ મૃત્યુથી ફરસી લે. એક વાલારા જેટલી જમીન પણ ખાલી ન છોડે તેને “ક્ષેત્રથી બાદર પુદગળ પરાવર્તન” કહે છે. (૪) “ક્ષેત્રથી સૂક્ષ્મ પુદગળ પરાવતન”—મેરૂ પર્વતથી ઉપર પ્રમાણે જે આકાશની શ્રેણિઓ નીકળી છે તેમાંની એક આકાશ શ્રેણી ઉપર અનુક્રમે જન્મ મરણ કરતાં કરતાં ઠેઠ અલેક લગી, વચમાં તે શ્રેણને એક પણ આકાશ પ્રદેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy