________________
૩૧
સ્નાત્ર પૂજા સાથે
(૩) પુષ્પપૂજા-દુહો સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજો ગતસંતાપ; સુમજંતુ ભવ્ય પરે, કરીએ સમકિત છાપ. ૩.
- ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા. ૩.
(૪) ધૂપપૂજા-દુહો ધ્યાન ઘટા પ્રગટાવીએ, વામ નયન જિન ધૂપ; મિચ્છર દુર્ગધ દૂરે ટળે, પ્રગટે આત્મસ્વરૂપ. ૪.
ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા. ૪.
જેમના સંતાપમાત્ર નાશ પામ્યા છે, એવા પ્રભુને તમે સુગંધી અને અખંડ પુષ્પો વડે પૂજો. જેમ પુષ્પપૂજા કરવાથી એ પુષ્પોને ભવ્યપણાની છાપ મળે છે, તેમ તમે સમકિતપણાની છાપ પ્રાપ્ત કરો, તાત્પર્ય એ છે કે પ્રભુ ઉપર ચડે તે પુષ્યના જીવો ભવ્ય જ હોય છે, તેમ પ્રભુની પૂજા કરનારા તમે સમકિતી જીવો છો એવી છાપ મેળવો. ૩.
પરમપુરુષ પરમેશ્વર, જન્મ-જરા મૃત્યુને નિવારનાર શ્રીમાનું જિનેશ્વર ભગવંતની અમે પુષ્પોવડે પૂજા કરીએ છીએ.
પ્રભુની ડાબી બાજુએ ધૂપ સ્થાપન કરીને પછી તેમાંથી નીકળતી ધૂમઘટાની જેમ ધ્યાનઘટા પ્રગટાવીએ કે જેથી મિથ્યાત્વરૂપી દુર્ગધ નાશ પામે અને આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય. ૪.
પરમ પુરુષ પરમેશ્વર, જન્મ-જરા મૃત્યુને નિવારનાર શ્રીમાનું જિનેશ્વર ભગવંતની અમે ધૂપવડે પૂજા કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org