SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ તરતમતા એહની દેખીઇ, અતિપ્રકર્ષ તે શિવ લેખીઇ । દોષાવરણતણી પણિ હાણિ, ઇમ નિશેષ પરમપદ જાણિ II ૮૮ એહ શમસુખની તરતમતા ઉત્કષપકર્ષ દેખિઇ, જે અતિપ્રકર્ષ તે શિવ – મોક્ષ લેખવિઇ ! દોષાવરણની હાનિ પણિ તરતમભાવઇ છઇ, જે નિઃશેષ તે પરમપદ જાણિ । ઉક્ત ચ દોષાવરણયોíનિર્નિઃશેષાસ્ત્યતિશાયનાત્ ક્વચિદ્ યથા સ્વહેતુભ્યો બહિરન્તર્મલક્ષયઃ ॥ ઇતિ અષ્ટસહામ્ (પરિચ્છેદ ૧, શ્લો. ૪) દુ:ખાભાવથી પણિ સુખ જ સિદ્ધનઇ કહવું || ૮૮ || જુદાજુદા જીવોમાં શમસુખનું ઓછાવત્તાપણું જોવા મળે છે. તો એનો અત્યંત પ્રકર્ષ હોય એ સ્થિતિ પણ કલ્પી શકાય. એ જ મોક્ષ. રાગાદિ દોષો ને કર્મરૂપ આવરણની હાનિ – એમનો હ્રાસ પણ ઓછોવત્તો હોઈ શકે છે. એ હાનિ સંપૂર્ણ હોય એવી સ્થિતિની પણ કલ્પના થઈ શકે. તે જ પરમપદ, મોક્ષ. કહ્યું છે કે, “બહારના અને અંદરના મેલનો ક્ષય એ માટેનાં સાધનોથી દૂર થાય છે એમ રાગદ્વેષાદિ દોષો અને કર્મરૂપી આવરણનો ક્ષય, વધતાંવધતાં ક્યાંક સંપૂર્ણ થતો જોવા મળે છે.” સિદ્ધને દુઃખના અભાવથી પણ સુખ છે એમ ગણવાનું છે. ૧. તરતમઇ ભાવઇ પુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy