SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ પટ્રસ્થાન ચઉપઈ ૯૯ પ્રતિબિંબઈ જે ભાખઈ ભોગ, કિમ તસ રૂપી-અરૂપી યોગા આકાશાદિકનું પ્રતિબિંબ જિમ નહી તિમ ચેતન અવલંબ II ૭૩ || ચિતુ-પ્રતિબિંબઈ બુદ્ધિનિષ્ઠ ભોગ છઈ તે સાક્ષાત્ આત્માનાં નથી ઈમ કહઈ છઇં તેહનઈ રૂપી-અરૂપીનો યોગ સંભવઈ નહી ! આકાશ અરૂપીનું જિમ આદર્શ પ્રતિબિંબ નથી તિમ બુદ્ધિમાંહિ ચેતનનો અવલંબ ન હોઈ તે ગભીર જલે' કહતાં આકાશપ્રતિબિંબઈ નથી ગભીરપણું, તે જલધર્મ છઈ પ્રતિબિંબસ્વરૂપ દેખાડી ચિત્-પ્રતિબિંબ ન હોઈ ઇસ્યુ કહઈ છઈ / ૭૩ || બુદ્ધિમાં ચેતનનું પ્રતિબિંબ પડે છે એ રીતે ચેતન એટલે કે પુરુષને પ્રતિબિંબ દ્વારા બુદ્ધિનિષ્ઠ સુખાદિનો ભોગ છે, સાક્ષાત્ ભોગ નથી એમ સાંખ્યવાદીઓ કહે છે, પણ રૂપી-અરૂપીનો યોગ સંભવતો નથી. અરૂપી આકાશનું જેમ અરીસામાં પ્રતિબિંબ નથી પડતું તેમ બુદ્ધિમાં ચેતનનું પ્રતિબિંબ ન હોઈ શકે. પાણી ઊંડું છે એમ કહીએ છીએ ત્યારે ઊંડાણ એ આકાશના પ્રતિબિંબને કારણે છે એમ તમે માનતા હો તો એ બરાબર નથી, ઊંડાણ એ જલનો ધર્મ છે. આમ, ચેતનનું પ્રતિબિંબ ન હોય એમ કહેવાનું થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy