SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ શ્રાવક કર્તવ્યની ટુંક સમજ (શ્રી જિનહર્ષસૂરીશ્વરજીની રચેલી શ્રી શ્રાવક કરણીની સક્ઝાય ઉપરથી સાર રૂપે) (જેમાં સવારથી સાંજ સુધીના જીવન પર્યંતનાં કર્તવ્યોનો સમાવેશ કરેલો છે.) ૧. હે શ્રાવક ! પાછલી રાત ચાર ઘડી બાકી રહેતાં ઊઠીને ભવસમુદ્રથી પાર કરનારા શ્રી નવકાર મંત્રનું નિરંતર સ્મરણ રાખજે. હે શ્રાવક ! તારો દેવ કોણ ? ગુરુ કોણ? ધર્મ શું? કુળના કૃત્યો શા છે? અને તારો ધંધો શું છે? તેનો વિચાર કરજે. હે શ્રાવક ! શુદ્ધ ચિત્તે નિરંતર સામાયિક કરજે. ધર્મબુદ્ધિ રાખજે અને રાત્રિનાં પાપની આલોચના નિમિત્તે રાઈ પ્રતિક્રમણ કરજે. ૪. હે શ્રાવક ! શક્તિ પ્રમાણે પદ્માણ લેજે, જિન આજ્ઞા પાળજે. અને પ્રભુના ગુણ યાદ કરનાર સ્તવન સઝાયાદિ ભણજે. ૫. હે શ્રાવક ! ચૌદ નિયમો ધારણ કરજે, જીવદયા પાળજે, દેરાસર જઈ પ્રભુ દર્શન, પૂજન આદિ કરજે. હે શ્રાવક ! ઉપાશ્રયે જઈ ગુરુવંદન કરજે, એકચિત્તે વ્યાખ્યાન સાંભળજે અને દોષ રહિત ખપતો આહાર સાધુઓને વહોરાવજે. હે શ્રાવક ! સાધર્મિકનું સગપણ જગતમાં અધિક માનજે, સ્વામિવાત્સલ્ય કરજે, દુઃખી-દીન અને અંગહીનજનો પર દયા રાખજે. ૩, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001211
Book TitleSamyaktva Mul Bar Vrat
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, C000, & C015
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy