SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ ૧૬. ઉઠતા-બેસતાં અને ચાલતાં નીચે જોઈને જીવહિંસા ન થાય તેમ કાર્યો કરીશ. બોલતાં વાઉકાયની હિંસા ન થાય માટે મુખ ઉપર મુહપત્તિ અથવા રૂમાલ રાખીશ. ઉપર મુજબના યથાશક્તિ નિયમ પાળીશ તથા નીચેના પાંચ અતિચારો (દોષો) લગાડીશ નહિ. બહુ જ વિવેકવાળું જીવન જીવીશ. ا ه ه ન સેવવા જેવા પ્રથમ વ્રતના પાંચ અતિચારો (દોષો) ૧. વધ : કોઇપણ જીવને હણવો-મારવી. ૨. બંધ : સાંકળ, દોરી અને પાંજરા આદિથી કોઈપણ જીવને બંધનમાં રાખવો. છવિચ્છેદ : કાન-નાક વિંધવાં, ચામડીનો છેદ કરવો, ડામ દેવા વિગેરે. અતિભારારોપણ : બળદ, પાડા, ઊંટ વિગેરે પશુઓ અને મજૂરી કરતા મનુષ્યો સુખે સુખે જેટલું ઉંચકી શકે તેનાથી વધારે ભાર તેના ઉપર મૂકવો. બુદ્ધિજીવી માણસો પાસે નિયત કરેલા કામથી વધારે કામ લેવું. ૫. ભક્તપાનવ્યુચ્છેદ : નોકર-ચાકર અથવા આપણા આશ્રિત જીવોને ભોજન-પાણીનો વિરહ કરવો. સમયસર ભોજન ન આપવું. આવા પ્રકારના પાંચ અતિચારો (દોષ) વિના અને ઉપરોક્ત ૧૬ નિયમો યથાશક્તિ પાળવાપૂર્વક પૂલ પ્રાણાતિપાત વિરમણ નામનું પહેલું વ્રત હું પાળીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001211
Book TitleSamyaktva Mul Bar Vrat
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, C000, & C015
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy