________________
તીર્થંકરદેવની વાણી મનોહારી, ભવદુઃખહારી શિવસુખકારી, ભાખે છે ગુરૂજી ઉદાર.. ઉછળે છે૦ જંબૂચરિત્રની વાતો સુણાવે, ભવ્યજીવોનાં દિલડાં રીઝાવે, વરસે છે અમૃતની ધાર.. ઉછળે છે૦ ભવોભવમાંહિ કલ્યાણકારા, ગુરૂજી મળ્યા છે તારણહારા, પંચ મહાવ્રત ધરનાર.. ઉછળે છે૦ મોહતણી મહાનિદ્રા ઉડાડે, અંતરનાચક્ષુ ગુરૂજી ઉઘાડે, જ્ઞાન દીપક કરનાર.. ઉછળે છે૦ અધ્યાત્મરંગમાં રંગે ગુરૂરાયા, પાવન બનાવે મન-વચ-કાયા, પ્રગટાવે ધર્મસંસ્કાર.. ઉછળે છે૦ એવાં ગુરૂજીનાં ચરણોમાં વંદના, તોડે અનાદિકની ફંદના, જંબૂકરે છે કોટિવાર.. ઉછળે છે૦
વિહારની ગફુલીઓ ૧૦૩(રાગ - જબ તુમ હી ચલે પરદેશ) એક અરજી સુણો ગુરૂરાજ, ગરીબ નિવાજ, ઉપકારી અમારા, નવિકરશો આપ વિહારા. અમે વાત વિહારની જાણી છે, છાતી દુ:ખથી ઉભરાણી છે, ઉદ્ધારક જગમાં તુમ વિણ કોણ અમારા.. નવિ કરશો) હવે જ્ઞાનનો કોણદીપકધરશે, અંતરનાં કોણ તિમિર હરશે, ગુરૂ દીપક વિના વ્યાપી જશે અંધકારા.. નવિ કરશો૦ જિનવાણી સુણવા ક્યાં જઈશું, હવે ક્યાં જઈને પાવન થઇશું, ભૂલ્યાને સાચો મારગદાખવનારા..નવિકરશો૦ હવે દાન સુપાત્રે ક્યાં દઇશું, કોને વહોરાવી હરખાઇશું, હવે કોને કહીશું પધારો ઘેર અમારા .. નવિ કરશો૦ અમૃતસમવાણી સુણવાને, જઇશું હવે કોના વ્યાખ્યાને, નવી નવી વાતો કહી મન હર્ષિત કરનારા .. નવિ કરશો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org