________________
જીવનને પાવન કરનારી, જિનવાણીને સુણાવે, જ્ઞાન ખજાના ગુરૂ મહારાજા, શાસ્ત્રની વાત જણાવે, સંશયો મનના ભાંજે. ગુરૂવાણી) અનિત્યભાવ બતાવી ગુરૂજી,વૈરાગ્યરંગલગાવે, પુદ્ગલવાસના દૂર હઠાવી, આધ્યાત્મિક બનાવે, આનંદ અતિશય આજે.... ગુરૂવાણી) શરણું કોઇજનથી જગતમાં, અશરણભાવ બતાવે, ભવભવમાંહિ સુખ કરનારા, ધર્મનું શરણ કરાવે, દુર્ગતિથી બચવા કાજે.... ગુરૂવાણી) એકસ્થાનથી બીજે સ્થાને, રખડે જીવ સંસારે, શિવપુરકરો માર્ગ બતાવી, ભવભ્રમણા નિવારે, ઉપદેશે મધુર અવાજે. ઓ... ગુરૂવાણી0 કર્યાકર્મ જીવ એકલો ભોગવે, નહીં કોઇ બીજો ભાગી, જીવ જુદા છે કર્મ જુદાં છે, ઉપદેશ ગુરૂ ત્યાગી, ભવિજનના હિતને કાજે... ગુરૂવાણી) વિસ્તારે એમ ગુરૂજી સુંદર, ભાવનાઓને સુણાવે, ગુરૂવાણીની સુણી બંસરી, શ્રોતા શિર ધુણાવે, શાસનનો ડંકો બાજે... ગુરૂવાણી) સંવત બે હજારને છનું, વર્ષ છે આનંદકારી, આકોલામાં રહી ચોમાસું, પ્રતિબોધ્યાં નરનારી, ભુવનવિજયગુરૂરાજે... ગુરૂવાણી) જંબૂકહે એવા ગુરૂ વંદું, જે જગજનહિતકારી, દૂર કરે અજ્ઞાન તિમિરને, જ્ઞાનપ્રકાશ પસારી, થયો ભાગ્યનો ઉદય આજેઓ ગુરૂવાણી) ૨૮ (દુહા) દેશના દે જિનવાણીની, ગુરૂજી અતિ મનોહાર; આનંદને વરસાવતી, જાણે અમૃતધાર.
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org