SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ રહ ****885800 ફૂલ-આમ સ્તોકાલય પ્રશ્ન-૧૩: પ્રદેશોની અપેક્ષાએ પુદ્ગલ પર્યાયો કેટલા છે ? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા હોય છે ? ઉત્તર- જઘન્ય પ્રદેશોની અપેક્ષાએ પુદ્ગલ દ્રવ્યના અનંત પર્યાયો છે. દ્વિપ્રદેશી સ્કંધ જઘન્ય પ્રદેશી સ્કંધ છે. સર્વોત્કૃષ્ટ અનંત પ્રદેશી સ્કંધ ઉત્કૃષ્ટ પ્રદેશી સ્કંધ છે. ત્રિપ્રદેશીથી અનંત પ્રદેશી સ્કંધ મધ્યમ પ્રદેશી સ્કંધ છે. જઘન્ય પ્રદેશી સ્કંધના અનંત પર્યાયો છે. જઘન્ય પ્રદેશી(દ્વિપ્રદેશી) સ્કંધ, જઘન્ય પ્રદેશી કંધોથી દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી એક પ્રદેશ હીનાધિક, સ્થિતિથી ચૌઠાણવડિયા, વર્ણાદિ ૧૬ બોલમાં છઠ્ઠાણવડિયા. ઉત્કૃષ્ટ પ્રદેશી સ્કંધના અનંત પર્યાયો છે. ઉત્કૃષ્ટ પ્રદેશી સ્કંધ, ઉત્કૃષ્ટ પ્રદેશી સ્કંધોથી દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી ચૌઠાણવડિયા, કારણ કે તેમાં અસંખ્યાતા અવગાહના સ્થાન હોય છે. સ્થિતિથી ચૌઠાણવડિયા, વર્ણાદિ વીસ બોલમાં છઠ્ઠાણવડિયા, કારણ કે તેમાં આઠ સ્પર્શ હોય છે. મધ્યમ પ્રદેશી સ્કંધના અનંત પર્યાયો છે. મધ્યમ પ્રદેશી સ્કંધ, મધ્યમ પ્રદેશી સ્કંધોથી દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી છઠ્ઠાણવડિયા છે. કારણ કે મધ્યમ પ્રદેશી સ્કંધોના અનંત ભેદ હોય છે. અવગાહનાથી ચૌઠાણવડિયા, સ્થિતિથી ચૌઠાણવડિયા, વર્ણાદિ વીસ બોલમાં છઠ્ઠાણવડિયા. પ્રશ્ન-૧૪: અવગાહનાની અપેક્ષાએ પુદ્ગલ પર્યાયો કેટલા છે ? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા હોય છે ? ઉત્તર– અવગાહનાની અપેક્ષાએ પુદ્ગલોના અનંત પર્યાયો છે. એક પ્રદેશાવગાઢ પરમાણુ પુદ્ગલથી લઈને એક પ્રદેશાવગાઢ અનંત પ્રદેશી સ્કંધ જઘન્ય અવગાહનાવાળા છે. સંપૂર્ણ લોકવ્યાપી સ્કંધ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા છે અને બે પ્રદેશાવગાઢથી અસંખ્ય પ્રદેશાવગાઢ સ્કંધ મધ્યમ અવગાહનાવાળા છે. જઘન્ય અવગાહનાવાળો સ્કંધ, જઘન્ય અવગાહનાવાળા સ્કંધોથી દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી છઠ્ઠાણવડિયા, કારણ કે તેમાં પરમાણુથી અનંત પ્રદેશી સુધીના સ્કંધોનો સમાવેશ છે. અવગાહનાથી તુલ્ય, સ્થિતિથી ચૌઠાણવડિયા, કારણ કે તેમાં એક સમયથી અસંખ્ય સમય સુધીની સ્થિતિ હોય છે. વર્ણાદિ ૧૬બોલમાં છઠ્ઠાણવાડિયા છે. જઘન્ય અવગાહનાવાળા સ્કંધ સૂક્ષ્મ હોવાથી તેમાં ચાર સ્પર્શ હોય છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળો સ્કંધ, ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સ્કંધોથી દ્રવ્યથી તુલ્ય અને પ્રદેશથી છઠ્ઠાણવડિયા છે. કારણ કે તેમાં પરમાણુથી અનંત પ્રદેશી સુધીના સ્કંધોનો સમાવેશ છે. અવગાહના અનેસ્થિતિથી તુલ્ય છે. કારણ કે ઉત્કૃષ્ટ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001174
Book TitlePhool Amra Stokalay
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati
PublisherGuru Pran Foundation Rajkot
Publication Year2005
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Canon, & Agam
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy