SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાપના—જીવાભિગમ સૂત્ર આધારિત 39 અવગાહનાથી, સ્થિતિથી ચૌઠાણવડિયા, વર્ણાદિ વીસ બોલ તથા ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન, આ છ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિયના અનંત પર્યાય ક્રમશઃ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ મતિજ્ઞાનીની સમાન છે. જઘન્ય અવધિજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિયોના અનંત પર્યાય છે. જઘન્ય અવધિજ્ઞાની એક તિર્યંચ પંચેન્દ્રિય, જઘન્ય અવધિજ્ઞાની બીજા તિર્યંચ પંચેન્દ્રિયોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી ચૌઠાણવડિયા, સ્થિતિથી તિાણવડિયા(યુગલિક તિર્યંચોને અવધિજ્ઞાન નથી. અવધિજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિયની સ્થિતિ ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની જ હોય છે, તેથી તેમાં અસંખ્યાતમો ભાગ, સંખ્યાતમો ભાગ અને સંખ્યાત ગુણ આ ત્રણ સ્થાનથી જ ન્યૂનાધિકતા થાય છે. અસંખ્યાત ગુણ ન્યૂનાધિકતા થતી નથી), વર્ણાદિ વીસ બોલથી તથા મતિ-શ્રુત જ્ઞાન અને ત્રણ દર્શનથી છઠ્ઠાણવડિયા, અવધિજ્ઞાનથી તુલ્ય છે. તે જ રીતે ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિયોના અનંત પર્યાયો છે. તે જ રીતે મધ્યમ અવધિજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિયોના પણ અનંત પર્યાયો છે, પરંતુ તેમાં અવધિજ્ઞાનથી પણ છઠ્ઠાણુડિયા છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વિભંગજ્ઞાની અને અવધિદર્શનીના અનંત પર્યાયો ક્રમશઃ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનીની સમાન જાણવા. જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ મતિ-શ્રુતઅજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિયોના અનંત પર્યાયો ક્રમશઃ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ મતિજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિયોની સમાન છે. જઘન્ય ચક્ષુદર્શની તિર્યંચ પંચેન્દ્રિયોના અનંત પર્યાયો છે. જઘન્ય ચક્ષુદર્શની એક તિર્યંચ પંચેન્દ્રિય, જઘન્ય ચક્ષુદર્શની બીજા તિર્યંચ પંચેન્દ્રિયોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી અને સ્થિતિથી ચૌઠાણવડિયા, વર્ણાદિ વીસ બોલ તથા બે જ્ઞાન, બે અજ્ઞાન અને અચક્ષુદર્શન, પાંચ ઉપયોગથી છઠ્ઠાણવડિયા અને બે ચક્ષુદર્શનથી તુલ્ય છે.(જઘન્ય ચક્ષુદર્શનીને અવધિજ્ઞાન-અવધિદર્શન હોતા નથી) ઉત્કૃષ્ટ ચતુદર્શની તિર્યંચ પંચેન્દ્રિયોના અનંત પર્યાયો છે. ઉત્કૃષ્ટ ચક્ષુદર્શની એક તિર્યંચ પંચેન્દ્રિય, ઉત્કૃષ્ટ ચક્ષુદર્શની બીજા તિર્યંચ પંચેન્દ્રિયોથી દ્રવ્યથી, પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી ચૌઠાણવડિયા, સ્થિતિથી તિકાણવડિયા,(યુગલિક તિર્યંચોને ઉત્કૃષ્ટ ચક્ષુદર્શન નથી) વર્ણાદિ વીસ બોલ તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, અચક્ષુદર્શન અને અવધિદર્શન, આ આઠ ઉપયોગથી છઠ્ઠાણવિડયા છે, ચક્ષુદર્શનથી તુલ્ય છે. મધ્યમ ચક્ષુદર્શની તિર્યંચ પંચેન્દ્રિયોના અનંત પર્યાયો છે. મધ્યમ ચક્ષુદર્શની એક For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001174
Book TitlePhool Amra Stokalay
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati
PublisherGuru Pran Foundation Rajkot
Publication Year2005
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Canon, & Agam
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy