SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે કે ૩૩ | અવગાહનાવાળા બેઈન્દ્રિયમાં બે અજ્ઞાન અને અચક્ષુદર્શન, આ ત્રણ ઉપયોગ હોય છે.(વિકલેન્દ્રિયોમાં અપર્યાપ્તાવસ્થામાં જ સાસ્વાદન સમ્યગ્દષ્ટિ હોવાથી જ્ઞાન હોય છે. ઉત્કૃષ્ટ અવગાહના પર્યાપ્તાવસ્થામાં જ હોય છે, તેથી પર્યાપ્તાવસ્થામાં જ્ઞાન નથી.) તે જ રીતે મધ્યમ અવગાહનાવાળા બેઇન્દ્રિયના પણ અનંત પર્યાય થાય છે પરંતુ તે અવગાહનાથી ચૌઠાણવડિયા છે. જઘન્ય સ્થિતિવાળા બેઈન્દ્રિયોના અનંત પર્યાયો છે. જઘન્ય સ્થિતિવાળા એક બેઈન્દ્રિય, જઘન્ય સ્થિતિવાળા બીજા બેઇન્દ્રિય જીવોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી ચૌઠાણવડિયા, સ્થિતિથી તુલ્ય, વર્ણાદિ વીસ બોલ તથા બે અજ્ઞાન અને અચક્ષુદર્શન આ ત્રણ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. (જઘન્ય સ્થિતિ લબ્ધિ અપર્યાપ્તા જીવોમાં જ હોય છે. સાસ્વાદન સમ્યકત્વ, લબ્ધિ અપર્યાપ્તા જીવોમાં હોતી નથી, તેથી જઘન્ય સ્થિતિવાળામાં જ્ઞાન નથી.) તે જ રીતે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા બેઇન્દ્રિયોના અનંત પર્યાયો છે, પરંતુ તેમાં બે જ્ઞાન, બે અજ્ઞાન અને અચક્ષુદર્શન, આ પાંચ ઉપયોગ હોય છે. તે જ રીતે મધ્યમ સ્થિતિવાળા બેઇન્દ્રિયોના અનંત પર્યાયો થાય છે, તેમાં પણ પાંચ ઉપયોગ હોય છે, પરંતુ તે સ્થિતિથી તિટ્ટાણવડિયા છે. જઘન્ય ગુણકાળા વર્ણવાળા બેઈન્દ્રિયોના અનંત પર્યાયો છે. જઘન્ય ગુણકાળા વર્ણવાળા એક બેઈન્દ્રિય, જઘન્ય ગુણકાળા વર્ણવાળા બીજા બેઈન્દ્રિય જીવોથી દ્રવ્યથી, પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી ચઠાણવડિયા, સ્થિતિથી તિટ્ટાણવડિયા, કાળા વર્ણથી તુલ્ય, શેષ વર્ણાદિ ૧૯ બોલ તથા પાંચ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. તે જ રીતે ઉત્કૃષ્ટ ગુણ કાળા વર્ણવાળા બેઇન્દ્રિયોના અનંત પર્યાયો છે. તે જ રીતે મધ્યમ ગુણ કાળા વર્ણવાળા બેઇન્દ્રિયોના અનંત પર્યાયો છે, પરંતુ તેમાં કાળાવર્ણથી પણ છઠ્ઠાણવડિયા છે. તે જ રીતે જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ વર્ણાદિ શેષ ૧૯ બોલમાં પણ જાણવું. જઘન્ય મતિજ્ઞાની બેઈન્દ્રિયોના અનંત પર્યાયો છે. એક જઘન્ય મતિજ્ઞાની બેઈન્દ્રિય જીવ, બીજા જઘન્ય મતિજ્ઞાની બેઇન્દ્રિય જીવોથી દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી ચોઠાણવડિયા, સ્થિતિથી તિટ્ટાણવડિયા, વર્ણાદિ વીસ બોલથી છઠ્ઠાણવડિયા, મતિજ્ઞાનથી તુલ્ય, શેષ જ્ઞાન, અજ્ઞાન અને દર્શનથી છઠ્ઠાણવડિયા છે. તે જ રીતે ઉત્કૃષ્ટ મતિજ્ઞાની બેઇન્દ્રિયોના અનંત પર્યાયો છે. તે જ રીતે મધ્યમ મતિજ્ઞાની બેઈન્દ્રિયોના અનંત પર્યાયો છે તેમાં મતિજ્ઞાનના પર્યાયોમાં પણ છઠ્ઠાણવડિયા છે. તે જ રીતે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ શેષ જ્ઞાન, અજ્ઞાન, દર્શનના અનંત-અનંત પર્યાયો થાય છે. તે જ રીતે તે ઇન્દ્રિય અને ચોરેન્દ્રિયોના પર્યાયો થાય છે પરંતુ ચૌરેન્દ્રિયમાં બે જ્ઞાન, બે અજ્ઞાન અને ચક્ષુદર્શન-અચક્ષુદર્શન આ છ ઉપયોગ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001174
Book TitlePhool Amra Stokalay
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati
PublisherGuru Pran Foundation Rajkot
Publication Year2005
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Canon, & Agam
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy