SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણીમૈયા!આપશ્રી એતો મારા ઉપર અનન્ય ઉપકાર કર્યો છે. આપનું સાનિધ્ય મને માત્ર સવા વર્ષનું જ સાંપડ્યું તેમ છતાં ભાવિના ગર્ભમાં સમાયેલા આગમ અનુવાદ અવગાહન-પ્રકાશનના અવિચલ, અવિનાશી મહા કાર્યને હું કરીશ તેવું જાણી વરદાન આપ્યું. "વૃદ્ધોપાસનાનું ફળ કદિ નિષ્ફળ જતુંનથી." તેવું જ્ઞાનામૃતનિજ આચારથી, મૌન ભાવે આપે અમોને પીવડાવ્યું. સેવાના ભેખધારી બની, નાના-મોટા વૃદ્ધગુરુબહેનોની જિંદગી પર્યત સેવા કરતાં રહ્યાં. સેવા અર્થે વડિલ ગુરુ બહેન પૂ. ફૂલકુંવરબાઈ મ. સાથે જ આપ રહ્યા. આપ બને ગુરુબહેનોના જીવનમાં અધ્યાત્મતત્તવણાયેલું હતું. વહેલી પરોઢેબને ગુરુબહેનો જાગૃત બની સ્વાધ્યાયમાં રત બની જતાં. દશવૈકાલિક, ઉત્તરાધ્યયન જેવા આગમો કંઠસ્થ હતા, સાથે ઢાળીયા, ચોઢાળીયા, મનહર છંદના રણકારથી વાતાવરણને ગૂંજાયમાન બનાવતા હતા. પૂ. જયમાણેક ગુરુદેવની હરતી-ફરતી પાઠ શાળામાં આપ ગુણી દેવા સંસ્કૃતપ્રાકૃત-અર્ધમાગધી ભાષા ઉપર પ્રભુત્વ મેળવી સુરાગમે, અત્યાગમના જાણકાર બન્યા હતા. રામરાસ, ઢાળ- સાગર જેવા મહાકાવ્યો જિહાઝે રમતા હતા અને તેના સૂર સુસ્વરમાં લહેરાવતા ત્યારે જનમાનસ ડોલી ઊઠતા હતા. આપની વાકછટા પણ અભૂત હતી. સેવા–સમતાદિ ગુણોથી આપ પૂ. પ્રાણ ગુરુદેવના કૃપા પાત્રી બન્યા હતા અને પૂ. દેવકુંવરબાઈ સ્વામીના નવ શિષ્યા પૈકી સાતમા નબરના શિષ્યા હોવા છતાં અંતેવાસી શિષ્યાનું બિરુદ પામ્યા હતા. આપના જીવનમાં વણાઈ ગયેલો અધ્યાત્મ ભાવ અંતિમ સમયે નિહાળવા મળ્યો. પૂ. પ્રભાબાઈ મ. આદિ વિશાળ સાધ્વી વૃદની વચ્ચે નવકાર મંત્રની ધૂન સાંભળતા, શાંતિનાથના જાપ જપતા સંથારા સહિત જૂનાગઢ મુકામેર૦૧૦ જેઠ સુદ નોમના અગિયાર વાગ્યે સમાધિભાવે દેહનો ત્યાગ કર્યો. તે સમયે અમે અબુદ્ધ બાળ શિષ્યા હતા, પરંતુ પ્રબુદ્ધ બનાવવા ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા. ની અસીમ કૃપા ધારાએ પરમ ઉપકારી પૂ. ફૂલકુંવરબાઈમ. એવપૂ. પ્રભાબાઈ મ. તથા પૂ. ગુલાબબાઈ મ. વચ્ચે સારણા–વારણા–ધારણાથી પરિપક્વ બનીએ તેવી અદશ્યપણે અનુગ્રહ ધારા વહાવી રહ્યા છો, તેવું આજે પણ અનુભવાય છે. શિક્ષા દાતા ગુરુણીદેવા ૫. ફૂલકવરબાઈ મ. પણ આપના પછી આઠ વરસે, આધ્યાત્મિક પદ જપતા જપતા અનુભવ આનંદ પ્યારો' તેવું ગીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001174
Book TitlePhool Amra Stokalay
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati
PublisherGuru Pran Foundation Rajkot
Publication Year2005
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Canon, & Agam
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy