SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ AS A પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે ઉ ૧૪ છે. તેને અપર્યાપ્તાવસ્થામાં મનનો પ્રયોગ હોતો નથી, પરંતુ જે જીવો મનપર્યાપ્તિ પૂર્ણ કરવાના છે, તેને અપર્યાપ્તાવસ્થામાં પણ સંજ્ઞી કહેવાય છે. નારકી–દેવો સંજ્ઞી જ હોય છે તેમ છતાં અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને પ્રથમ નરકમાં કે ભવનપતિ તથા વ્યતર જાતિના દેવમાં ઉત્પન્ન થાય, ત્યારે તેની અપર્યાપ્તાવસ્થામાં મનપર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી તે જીવોમાં પૂર્વભવની અપેક્ષાએ અસંજ્ઞીનું કથન કરવામાં આવે છે. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને બીજીથી સાતમી નરકમાં કે જ્યોતિષી કે વૈમાનિક દેવમાં જતા નથી. તેથી તે સ્થાનમાં સર્વ જીવો સંજ્ઞી હોય છે. સંજ્ઞી જીવો મરીને નરક કે દેવલોકમાં જાય ત્યારે તેની અપર્યાપ્તાવસ્થામાં પણ તે લબ્ધિની અપેક્ષાએ સંજ્ઞી કહેવાય છે. પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિયોને મનનો અભાવ હોવાથી અસંશી જ હોય છે. તિર્યંચ પંચેન્દ્રિય- જલચર, સ્થલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને ખેચર, તે પાંચ પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિય જીવોમાં કેટલાક જીવો સંજ્ઞી અને કેટલાક જીવો અસંજ્ઞી હોય છે. આ રીતે તિર્યંચ પંચેન્દ્રિયમાં બંને પ્રકારના જીવો હોય છે. મનુષ્યો– તેમાં સંમૂર્છાિમ મનુષ્યો એકાંતે અસંજ્ઞી હોય છે, યુગલિક મનુષ્યો એકાંતે સંશી હોય છે. કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો સંજ્ઞી હોય છે અને તેમાં તેરમા, ચૌદમા ગુણસ્થાનવર્તી મનુષ્યો નોસંજ્ઞી નોઅસલી હોય છે. કેવળી ભગવાન જ્યારે કોઈ મન:પર્યવજ્ઞાનીના અથવા અનુત્તરવિમાનવાસી દેવના પ્રશ્નોનો ઉત્તર આપે ત્યારે મનોવર્ગણાને તદાકારે પરિણત કરતાં મનનો પ્રયોગ કરે છે. તેઓને ચિંતન, મનન, આદિ રૂપ મતિજ્ઞાનજન્ય ભાવ હોતા નથી. કેવળી ભગવાન જેમ પાંચ ઈન્દ્રિયો હોવા છતાં અનિષ્ક્રિય છે. તેમ તેઓ સંજ્ઞી પંચેન્દ્રિયહોવા છતાંચિંતન મનનના અભાવે સંજ્ઞી પણ નથી અને કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય હોવાથી અસંજ્ઞી પણ નથી; તેથી તેને નોસંજ્ઞી નોઅસંજ્ઞી કહ્યા છે. ૨૪ દંડકમાં સજીઅસંશી:કમ જીવ ભેદ સંશી અસશી | નોશી નોઅસંશી પ્રથમ નરકના અપર્યાપ્તા પ્રથમ નરકના પર્યાપ્તા અને ૨ થી ૭નરકના પર્યાપ્ત-અપર્યાપ્ત ભવનપતિ, વ્યતર અપર્યાપ્ત ભિવનપતિ, વ્યંતર પર્યાપ્તા X | X | -ભવનપતિ શંકર જાન ------ ૮ | XIX Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001174
Book TitlePhool Amra Stokalay
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati
PublisherGuru Pran Foundation Rajkot
Publication Year2005
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Canon, & Agam
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy