SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ દ પ મ જ ફૂલ-આમ સ્તકાલય 'બાંધતા વેદે : ભંગ-૬ [પદ-રપ પ્રશ્ન૧ઃ હે ભગવન્! એક કર્મના બંધ સમયે જીવ કેટલા કમનું વેદન કરે છે. ઉત્તર- હે ગૌતમ! સામાન્ય રીતે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મનું વેદન બાર ગુણસ્થાન સુધી થાય છે, મોહનીય કર્મનું વદન દશ ગુણસ્થાન સુધી અને વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર, આ ચાર કર્મોનું વદન ચૌદ ગુણસ્થાન સુધી થાય છે. ગુણસ્થાનની અપેક્ષાએ એકથી દશ ગુણસ્થાન સુધી આઠ કર્મોનું, અગિયારમા–બારમા ગુણસ્થાને સાત કર્મોનું અને તેરમા-ચૌદમા ગુણસ્થાને ચાર કર્મોનું વદન થાય છે. પ્રશ્ન–૨: હે ભગવન્! સમુચ્ચય એક કે અનેક જીવો અથવા ૨૪ દંડકના એક કે અનેક જીવો જ્ઞાનાવરણીય કર્મ બાંધતા કેટલા કર્મોનું વેદન કરે છે? ઉત્તર– હે ગૌતમ! અવશ્ય આઠ કર્મોનું વેદન કરે છે, તેમાં અન્ય વિકલ્પ નથી. આ રીતે વેદનીયકર્મને છોડીને શેષ સાત કર્મનો બંધ કરતા જીવો અવશ્ય આઠ કર્મોનું વેદન કરે છે. પ્રશ્ન–૩: હે ભગવન્! સમુચ્ચય એક જીવ વેદનીય કર્મ બાંધતા કેટલા કર્મોનું વેદન કરે છે? ઉત્તર– હે ગૌતમ! આઠ, સાત અથવા ચાર કર્મોનુંવેદન કરે છે. એક જીવમાં કોઈ પણ એક વિકલ્પ હોય છે. એક મનુષ્ય પણ વેદનીય કર્મનો બંધ કરતા આઠ, સાત અથવા ચાર કર્મોનું વેદન કરે છે. સમુચ્ચય અનેક જીવો વેદનીયકર્મ બાંધતા આઠ, સાત અથવા ચાર કર્મનું વેદન કરે છે. તેમાં આઠ કર્મવેદક અને કેવળી ભગવાનની અપેક્ષાએ ચાર કર્મવેદક જીવો શાશ્વતા અને અગિયારમું-બારમું ગુણસ્થાન અશાશ્વત હોવાથી સાત કર્મવેદક અશાશ્વતા છે, તેથી તેના ત્રણ ભંગ થાય છે. (૧) સર્વ જીવો આઠ કે ચાર કર્મવેદક. (૨) ઘણા જીવો આઠ કે ચાર કર્મવેદક અને એક જીવ સાત કર્મવેદક. ' (૩) ઘણા જીવો આઠ કે ચાર કર્મવેદક અને ઘણા જીવો સાત કર્મવેદક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001174
Book TitlePhool Amra Stokalay
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati
PublisherGuru Pran Foundation Rajkot
Publication Year2005
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Canon, & Agam
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy