SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે. તે જ ર જ ર જ સ ૧૦૧] યોગ્યતા અનુસાર દ્રવ્યેન્દ્રિયો છે, પરસ્થાનપણે નથી, ભવિષ્યમાં સંજ્ઞી મનુષ્ય અને અનુત્તર વિમાનને છોડીને શેષ સર્વ સ્થાનમાં દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે અથવા થશે નહીં. જો થશે. તો એકેન્દ્રિયપણે જઘન્ય એક, બે, ત્રણ; બેઈન્દ્રિયપણે બે, ચાર, છે; તેઇન્દ્રિયપણે ચાર, આઠ, બાર; ચૌરેન્દ્રિયપણે છે, બાર, અઢાર પંચેન્દ્રિયપણે આઠ, સોળ, ચોવીસ યાવત્ સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત થશે. ચાર અનુત્તરવિમાનના દેવપણે ભવિષ્યકાલમાં દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે અથવા થશે નહીં. જો થશે તો આઠ અથવા સોળ દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે. સર્વાર્થસિદ્ધવિમાનના દેવપણે દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે અથવા નહીં થશે; જો થશે તો આઠ જ દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે. સંજ્ઞી મનુષ્યપણે અવશ્ય દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થાય છે, તેમાં જઘન્ય આઠ, સોળ, ચોવીસ, સંખ્યાત, અસંખ્યાત અને ઉત્કૃષ્ટ અનંત દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત થશે. એક સન્ની મનુષ્યને ભૂતકાળમાં પાંચ અનુત્તર વિમાનને છોડીને શેષ સર્વ સ્થાનમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હતી. ચાર અનુત્તર વિમાનના દેવપણે દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હોય અથવા થઈ ન હોય, જો થઈ હોય તો આઠ અથવા સોળ દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત થઈ હોય. સર્વાર્થસિદ્ધવિમાનના દેવપણે દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત થઈ હોય અથવા થઈ ન હોય. જો થઈ હોય, તો આઠ દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત થઈ હોય. વર્તમાનમાં એક મનુષ્યપણે આઠ દ્રવ્યન્દ્રિયો છે. શેષ દંડકના જીવપણે દ્રવ્યેન્દ્રિયો નથી. ભવિષ્યમાં કેટલાક મનુષ્યને દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે અને કેટલાકને થશે નહીં. જેને થશે તેને એકેન્દ્રિયપણે જઘન્ય એક, બે, ત્રણ; બેઇન્દ્રિયપણે બે, ચાર, છે; તે ઇન્દ્રિયપણે ચાર, આઠ, બાર; ચૌરેન્દ્રિયપણે છ, બાર, અઢાર; પાંચ અનુત્તર વિમાનના દેવને છોડીને શેષ પંચેન્દ્રિયપણે આઠ, સોળ, ચોવીસ યાવત્ સંખ્યાત, અસંખ્યાત અને ઉત્કૃષ્ટ અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે. ચાર અનુત્તર વિમાનના દેવપણે જો થાય, તો આઠ અથવા સોળ અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવપણે જો થાય, તો આઠ દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થાય છે. પ્રશ્ન-૭ઃ ૨૪ દંડકના અનેક જીવોની ૨૪ દંડકના જીવપણે સૈકાલિક દ્રવ્યેન્દ્રિયો કેટલી હોય છે? ઉત્તર- અનેક નારકીઓને ભૂતકાળમાં પાંચ અનુત્તર વિમાનને છોડીને શેષ સર્વ સ્થાનમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ છે. નારકીઓને અનુત્તર વિમાનના દેવપણે ભૂતકાલીન દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ નથી, વર્તમાનમાં સ્વસ્થાનપણે અસંખ્યાત દ્રવ્યેન્દ્રિયો છે, પરસ્થાનપણે નથી, ભવિષ્યમાં અનુત્તર વિમાનના દેવપણે અસંખ્યાત અને શેષ સર્વ સ્થાનના જીવપણે અનંત દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત થશે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિયના અનેક જીવોને ભૂતકાળમાં પાંચ અનુત્તર વિમાનને છોડીને શેષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001174
Book TitlePhool Amra Stokalay
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati
PublisherGuru Pran Foundation Rajkot
Publication Year2005
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Canon, & Agam
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy